UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

જાતિવાદી હિન્દુ પર બુદ્ધિવાદી હિન્દુની જીત

જાતિવાદી હિન્દુ: બ્રાહ્મણ શ્રુદ્રથી શ્રેષ્ઠ છે.

બુદ્ધિવાદી હિન્દુ: કેવી રીતે?

જાતિવાદી હિન્દુ: શ્રુષ્ટિની શરૂઆતમાં બ્રાહ્મણ મુખમાંથી અને શ્રુદ્રના પગમાંથી આવ્યાં હતા.

બુદ્ધિવાદી હિન્દુ: જો બ્રાહ્મણ મુખમાંથી અને શ્રુદ્ર પગમાંથી આવ્યાં હોય તો:

(૧) મુખ તો થૂક અને લાળ પેદા કરતું રહેતું હોવાથી હમેંશા ગંદુ જ રહે છે. પણ પગ સામાન્ય રીતે ચોખ્ખા, સુકા અને ગંધમુક્ત હોય છે. આથી શુદ્ર બ્રાહ્મણ કરતાં વધુ શુદ્ધ અને પવિત્ર હોવા જોઇએ.

(૨) આપણે હિન્દુ પરંપરા અનુસાર આપણી માતા અને વડીલોના ચરણ સ્પર્શ કરીએ છીએ. આપણે ક્યારેય મોઢા કે લાળને અડકતાં નથી. ઉલટાનું આપણે આપણું માથું વડીલોના ચરણોમાં મુકીએ છીએ. આ તર્ક અનુસાર વાસ્તવમાં બ્રાહ્મણોએ શ્રુદ્રની સામે નમવું જોઈએ.

(૩) શ્રુષ્ટિની શરૂઆતમાં બ્રાહ્મણ મુખમાંથી અને શ્રુદ્રના પગમાંથી આવ્યાં હતા તેનાં કોઈ પ્રમાણો નથી. વધુમાં, દરેક બ્રાહ્મણને માત્ર મુખ જ નહીં પરંતુ પગ પણ હોય છે. અને દરેક શુદ્રને માત્ર પગ જ નહીં પરંતુ મુખ પણ હોય છે.

શ્રુષ્ટિની શરૂઆતમાં બ્રાહ્મણ કોના મુખમાંથી અને શ્રુદ્રના કોના પગમાંથી આવ્યાં હતા?

જાતિવાદી હિન્દુ: મારી પાસે ૧,૨, અને ૩ નો તો જવાબ નથી. પરંતુ શ્રુષ્ટિની શરૂઆતમાં આપણે બધાં ઈશ્વરના મુખમાંથી અને ઈશ્વરના પગમાંથી આવ્યાં હતા.

બુદ્ધિવાદી હિન્દુ: શું ઈશ્વર પવિત્ર છે?

જાતિવાદી હિન્દુ: હા. ઈશ્વર પવિત્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

બુદ્ધિવાદી હિન્દુ: શું ઈશ્વરના શરીરનો કોઈ ભાગ અપવિત્ર છે? અથવા તો શું બીજા ભાગની સરખામણીમાં ગૌણ છે?

જાતિવાદી હિન્દુ: ના ઈશ્વરનું શરીર એક સમાનરીતે પવિત્ર અને પરિપૂર્ણ છે.

બુદ્ધિવાદી હિન્દુ: જો ઈશ્વરનું સંપૂર્ણ શરીર એક સમાનરીતે પવિત્ર અને પરિપૂર્ણ હોય તો ઈશ્વરનાં શરીરના કોઈ એક ભાગમાંથી આવેલી વ્યક્તિ એ જ ઈશ્વરના શરીરના બીજા કોઈ ભાગમાંથી આવેલી વ્યક્તિની સરખામણીમાં તુચ્છ કેવી રીતે બની જાય? શું તેનો અર્થ એ નથી એ આપણે બધાં જ એક સમાન રીતે બ્રાહ્મણ પણ છીએ અને શુદ્ર પણ છીએ?

જાતિવાદી હિન્દુ: મારી પાસે આ પ્રશ્નોનાં જવાબ નથી. હું મારી હાર સ્વીકારું છું.

બુદ્ધિવાદી હિન્દુ: ના તું હાર્યો નથી. જો ભૂલ સ્વીકાર્યા બાદ તને સત્યની સાચી સમજ થઇ હોય તો તું પણ વિજેતા છે.

For English version of the article: LOOK! How a Casteist Hindu accepted defeat and won!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories