UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!

વેદ શ્રુષ્ટિના સૌ પ્રથમ ગ્રંથો છે. ઈશ્વરે શ્રુષ્ટિની ઉત્પત્તિ સમયે વેદોનો પ્રકાશ કર્યો હતો. અત્યંત સંશયવાદી શોધકર્તા પાસે પણ વેદ ઉત્પત્તિ કોઈ ચોક્કસ સમયે થઇ હોવાનું એક પણ વિશ્વસનીય પ્રમાણ નથી. વેદ ઉત્પત્તિનો કોઈ ચોક્કસ સમય છે તેમ પ્રમાણિત કરવાના નિરર્થક પ્રયાસોના મૂળમાં નીચેની કેટલીક ધારણાઓનો સમાવેશ થાય છે:

–   બાઈબલ અનુસાર શ્રુષ્ટિની ઉત્પત્તિ જેનીસીસ પછી થઇ હતી. આથી વેદોની ઉત્પત્તિ પણ ત્યાર બાદ જ થઇ હોવી જોઈએ.

–   હજારો વર્ષો પહેલાં મનુષ્યો પોતાના ક્રમિક વિકાસના પ્રાથમિક ચરણમાં હોવાથી તેઓનું માનસિક સ્તર ઉચ્ચ ન હતું. આથી વેદોની ઉત્પત્તિ પણ મનુષ્યનો પુરતો માનસિક વિકાસ થયા બાદ જ થઇ હોવી જોઈએ. પણ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે મનુષ્યોનો માનસિક વિકાસ ઉત્તરોતર થયો હોવો જોઈએ અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, આ બે માન્યતાઓનું એક પણ વિશ્વનીય પ્રમાણ હજુ સુધી પુરાતત્વ વિજ્ઞાન આપી શક્યું નથી. ભલે ને પછી આવી અપ્રમાણિત માન્યતાઓએ બાળકોના અભ્યાસની પુસ્તકોમાં સ્થાન મેળવી લીધું હોય, અથવા તો પ્રચારના અન્ય માધ્યમો દ્વારા બહુ પ્રખ્યાતિ અને પ્રસિદ્ધિ મેળવી હોય! આ ઉપરાંત, ભારત પર આર્યોનું આક્રમણ અને વેદ ભરવાડો દ્વારા ગવાયેલા ગીત હતા, આ બંને માન્યતાઓ પણ તદ્દન ખોટી જ છે. આપણે આવી ખોટી માન્યતાઓનું ખંડન પાછળથી કરીશું.

નોંધ: આ એક ભારે ચિંતાનો વિષય છે. કારણે કે કોઈ વૈજ્ઞાનિક આધાર કે વિશ્વસનીય પુરાવાઓના અભાવમાં પણ નાનપણથી જ શૈક્ષણિક માધ્યમ દ્વારા ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત બાળકોના મનમાં ઠુંસી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મનુષ્ય એક ભૌતિક-રસાયણિક પ્રતિક્રિયા સિવાય બીજુ કઈ નથી એવી અવચેતન માન્યતા પણ આપણાં મગજમાં ઠુંસવામાં આવી છે. પણ જો મનુષ્ય એક ભૌતિક-રસાયણિક પ્રતિક્રિયા જ હોય તો સાચું-ખોટું, સત્ય- અસત્ય વગેરેનો કોઈ અર્થ રહી જતો નથી. આ જ કારણે મનુષ્ય ભોગવાદી બની ચુક્યો છે. અને આ ભોગવાદ મનુષ્યના બધાં જ પાપકર્મ અને અનૈતિક આચરણનું પ્રમુખ કારણ છે.

–   વેદોના અલગ અલગ અધ્યાયોની ભાષા અલગ અલગ છે. આથી અન્ય ભાષાઓની ઉત્પત્તિ થયા બાદ જ વેદોની ઉત્પત્તિ થઇ હોવી જોઈએ.

–   વ્યવહારિક ભાષામાં ઉપયોગમાં આવતો શબ્દ “સોનું” શબ્દનો સમાનર્થી શબ્દ વેદોમાં જોવા મળે છે. આથી વેદોની ઉત્પત્તિ ત્યાર બાદ જ થઇ હોવી જોઈએ.

–   વેદોમાં ગંગા, યમુના, સરસ્વતી જેવા શબ્દો જોવા મળે છે. આથી સરસ્વતી નદીની ઉત્પત્તિ થયા બાદ જ વેદોની ઉત્પત્તિ થઇ હોવી જોઈએ. (આ તો એવી વાત છે કે કોઈ એમ કહે કે મહાભારત હમણાં જ લખાયું હોવું જોઈએ કારણ કે તેમાં અર્જુન સિંઘ અને લાલ કૃષ્ણ અડવાનીનો ઉલ્લેખ છે!)

આમ, તથાકથિત વિદ્વાનો વૈજ્ઞાનિક આધાર કે વિશ્વસનીય પ્રમાણો રજુ કર્યા સિવાય વેદોની ઉત્પત્તિનો ચોક્કસ સમય કે તારીખ હોવાનો દાવો કરતા ફરે છે અને પછી આ દાવાને ખરો સાબિત કરવા માટે અવનવી વાર્તાઓ અને કારણો બનાવતા રહે છે. એવી જ રીતે કે જેમ મોટા વ્યવસાયોમાં પહેલાં લાભનો આંકડો નક્કી કરી દેવામાં આવે છે અને પછી તે લાભના આંકડાને મળે તેવો હિસાબ પાછળથી ગોઠવવામાં આવે છે.

પણ હકીકત તો એ છે કે, કોઈપણ વ્યક્તિ વેદોની ઉત્પત્તિનો ચોક્કસ સમય કે તારીખ આપી શકે નહીં. કારણ કે વેદોની ઉત્પત્તિ આદિકાળથી જ થયેલી છે. અન્ય પૌરાણિક ગ્રંથો પણ વેદોની ઉત્પત્તિ આદિકાળથી થયેલી હોવાનું કહે છે.

વેદ શ્રુષ્ટિની શરૂઆતમાં જે સ્વરૂપે પ્રકટ્યા હતા, તે જ સ્વરૂપમાં, કોઈપણ જાતના સુધારા કે વધારા વગર આજે પણ એવાને એવા જ તેના વિશુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. સંસારના સૌથી પ્રાચીનતમ ગ્રંથ વેદનું સંરક્ષણ એવી રીતે થયેલું છે કે વેદોમાંના કોઈપણ મંત્ર, અધ્યાય કે પછી શબ્દાંશમાં થયેલ લેશ માત્ર ફેરફારને પણ પકડી શકાય છે. આદિકાળથી આજ દિન સુધી વેદ કેવી રીતે સુરક્ષિત રખાયા તે જાણવા માટે વેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો? લેખ ધ્યાનથી વાંચો.

વેદોમાં કોઈ ઇતિહાસ નથી. વેદોમાંના દરેક શબ્દોનો અર્થ વેદોમાં વર્ણવેલા તે શબ્દના મૂળ – ધાતુ – પ્રમાણે જ કરવો જોઈએ, અને નહીં કે સર્વ સામાન્ય રીતે થતા વ્યવહારિક ઉપયોગ પ્રમાણે. ઉદાહરણ તરેક, “ગૌ” શબ્દના બીજા ઘણાં અર્થ માનો એક અર્થ “ગતિ કરતુ” એવો થાય છે. આથી દરેક મંત્રમાં “ગૌ”  શબ્દનો અર્થ “ગાય” કરી લેવો તે યોગ્ય નથી. આપણે આ વિષય પર પાછળથી ઊંડાણમાં ચર્ચા કરીશું.

વેદોમાં બધાં જ પ્રકારના જ્ઞાન અને વિજ્ઞાન તેના મૂળરૂપમાં વિદ્યમાન છે –  ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ચિકિત્સાશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, ગણિત, ધર્મશાસ્ત્ર, ઇજનેરશાસ્ત્ર વગેરે.

વેદ જાતિ, લિંગ કે જન્મ પર આધારિત કોઈપણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવની વિરુદ્ધ છે. વેદ માત્ર વ્યક્તિની લાયકાત અને યોગ્યતાને જ દૃઢ સમર્થન આપે છે.

વેદ દરેક મનુષ્ય માત્રને ભણવાનો અધિકાર છે, પછી તે શુદ્ર હોય કે સ્ત્રી.

વેદ કોઈપણ પ્રકારના અંધવિશ્વાસો, મૂર્તિ-પૂજા કે નિયતિવાદની વિરુદ્ધ છે.

વેદમાં જીવાત્માની ઈચ્છા- સ્વતંત્રતા હોવાનું અને જીવાત્મા કર્મ પ્રમાણેના ફળની પ્રાપ્તિ કરતી હોવાનું વિધાન છે.  

વેદોમાં ઈશ્વરની ઉપાસના માટેની કોઈ ચોક્કસ વિધિશાસ્ત્ર, પદ્ધતિ કે પ્રતિમાનું વર્ણન નથી. વેદ માત્ર મૂળભૂત સિદ્ધાંતો આપે છે. પણ આ સિદ્ધાંતો બીજી કોઈ પૂજા પદ્ધતિનો તાર્કિક આધાર હોઈ શકે.

વેદોમાં બધાં જ જીવો પ્રત્યે માન અને દયાભાવ રાખવાનું, તથા તેમના પાલન-પોષણ અને રક્ષણનું વિધાન છે. સ્વાર્થ ખાતર કોઈપણ પ્રાણીમાત્રની હત્યા કરવી વેદ વિરુદ્ધ છે. જે લોકો એવો દાવો કરતા ફરે છે કે વેદોમાં ગૌહત્યા અને યજ્ઞોમાં પ્રાણીઓની આહુતિ આપવાનું વિધાન છે, તેઓ અજ્ઞાની અને મૂર્ખ સ્વ:ઘોષિત વિદ્વાનો છે.

વેદ વૈદિક- સંસ્કૃતમાં (વ્યવહારિક સંસ્કૃત ભાષામાં નહીં) લખાયેલા છે કે જે વિશ્વની બધી જ ભાષાઓની જનની છે.

વેદ સાર્વભૌમિક અને સર્વકાલિક છે. વેદ કુરાન અને બાઈબલની જેમ વેદ કોઈ ચોક્કસ દેશ, જાતિ, મત, પંથ કે સંપ્રદાય માટે જ સીમિત નથી.

વૈદિક ધર્મના બધાં જ સિદ્ધાંતો શ્રુષ્ટિક્રમના નિયમોને અનુકુળ છે અને વિજ્ઞાનની કસોટી પર ખરા ઉતરે છે.

સંસારભરના બીજા મત, પંથ કે સંપ્રદાય કોઈને કોઈ પૈગમ્બર, મસીહા, યુગ પુરુષ વગેરે દ્વારા પ્રવર્તિત કરાયા છે. પરંતુ વૈદિક ધર્મ ઈશ્વરીય છે.

વૈદિક ધર્મમાં એક અને માત્ર એક, નિરાકાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી, ન્યાયકારી ઈશ્વરને જ ઉપાસ્ય દેવ માનવામાં આવ્યો છે, તેની જ ઉપાસના કરાય છે.

વેદમાં પરમેશ્વરના અનેક નામોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ પરમેશ્વરનું નિજ નામ “ઓમ્” છે.

વૈદિકમંત્રોના આધ્યાત્મિક, સામાજિક, ભૌતિક એમ એક કરતા વધારે અર્થ નીકળી શકે છે. આથી વેદમંત્રોનું વિશ્લેષણ કરી તેની સાચી સમજ કેળવવા તથા વેદ મંત્રોની અનુભૂતિ કરવા માટે ગહન મનન, મનની શુદ્ધિ અને યોગી જેવું દૈનિક જીવન અતિ આવશ્યક છે. જો આમ ન બને તો વેદો વિષે ઘણી મિથ્યા ધારણાઓ અને ગેરસમજ ઉભી થવાની ભારે સંભાવના રહે છે. આથી જ આજે આપણે માંસાહાર, દારુ, વ્યાભિચાર, અહંમ, આધ્યાત્મિક મૂલ્યોનો અભાવ જેવી ખરાબ આદતોના પ્રભાવમાં જકડાયેલા ઘણાં સ્વ:ઘોષિત વેદ વિદ્વાનોને જોઈએ છીએ. આ ઉપરાંત વ્યક્તિ વ્યવહારિક ઉપયોગ અને માન્યતાઓ અનુસાર વેદ મંત્રના અર્થમાં ફેરફાર ન કરે એટલા માટે પણ મનની શુદ્ધિ અને યોગી જેવું દૈનિક જીવન આવશ્યક છે.

વેદોના મેક્સ મૂલર, વિલસન, ગ્રીફીથ દ્વારા કરાયેલ અનુવાદો પ્રમાણિક નથી. આથી આવા અનુવાદોનો પ્રયોગ કરતા પહેલાં તેમની પ્રમાણિકરીતે નિષ્પક્ષ કસોટી કરી લેવી જોઈએ.

Original post in English is available at http://agniveer.com/must-know-facts-about-vedas/

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories