૧. કોઈ એક સંસ્કૃત ચોપડી પકડો. ખાસ કરીને એવી ચોપડી કે જે હિન્દુઓ કદી વાંચતા ન હોય. એવી ચોપડી કે જેનું નામ પણ હિન્દુઓએ કોઈ દિવસ સાભળ્યું ન હોય. જેટલી અજ્ઞાત અને અપરિચિત ચોપડી પકડશો તેટલા જ મોટા વિદ્વાન કહેવાશો. ઉદાહરણ તરીકે ગ્રહસુત્ર,પરાશર સંહિતા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગરે વગેરે. અથવા તો સીધા વેદને જ પકડો.
૨. ચોપડીમાંથી ઝાકીર નાઈકની જેમ પાના નંબર, શ્લોક નંબર બબડ્યા કરો.
૩. પોતાને વિદ્વાન સાબિત કરવા માટે થોડું ઘણું સંસ્કૃતમાં લાખો. જે.એન.યુ. માં તો તમને આ માટે અવોર્ડ મળશે.
૪. એ શ્લોકનો જે મન ફાવે તે અર્થ કરી દો. ઉદાહરણ તરીકે: ઋગ્વેદ ૨૨.૧.૧૩: “ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હે”
આથી એમ સાબિત થઇ જશે કે, વેદ હિંસા કરવાનું કહે છે.
૫. આ બધું ૧૦૦ વખત રીપીટ કરતા રહો.
આથી હવે તમે ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કુખ્યાત પંડિત બની ગયા છો. હવે હિન્દુધર્મ અને વેદનું જેટલું જ્ઞાન તમને છે, એટલું જ્ઞાન તો કદાચ રામ અને કૃષણને પણ નહીં હોય.
હવે તમે હિન્દુઓનું સરળતાથી ધર્માંતરણ કરી શકશો. કારણ કે ન તો તમને સંસ્કૃત ખબર છે કે ન તો હિન્દુઓને તેમના મૂળ વેદ વિષે કઈ જાણે છે.
FOR ORIGINAL ENGLISH VERSION: SECRET REVEALED! 5 STEP GUIDE TO PROVE HINDUISM IS A BAD RELIGION