UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

હિન્દુધર્મમાં કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે?

કર્મનો સિદ્ધાંત કહે છે કે:

૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે.

૨. વાસ્તવમાં, તમારી આ વર્તમાન વાસ્તવિકતા એ બીજું કઈ નહિ પણ આજ દિન સુધી તમે જે વિચારો કરવાનો નિર્ણય કર્યો હતો તે વિચારોના એકત્રીત થયેલા અને સ્પષ્ટ નજરે પડતા લક્ષણો/પરિણામો જ છે. આમાં જાણતા અને અજાણતા કરેલા એવા બંને પ્રકારના વિચારોનો સમાવેશ થાય છે.

૩. આ વાસ્તવિકતાનો ઉદ્દેશ તમને દુઃખમાંથી બહાર લાવી આનંદ મેળવવા માટે મદદ કરવાનો છે. તમે તમારા વિચારોને બદલીને તમારી વાસ્તવિકતામાં વધારે આનંદ ઉમેરી શકો છો.

આમ, જીવન એ કોઈ આયોજન વગરની અને અવ્યવસ્થિત રાસાયણિક પ્રક્રિયા નથી. ઉલટાનું, આપણું જીવન અને આ વિશ્વ એ આપણને આનંદ તરફ લઈ જવા માટે બનાવવામાં આવેલી સુનિયોજિત વ્યવસ્થા છે. અને આપણે આપણા વિચારોને આનંદની પ્રાપ્તિ તરફ વાળીને આ વ્યવસ્થાનો અસરકારક ઉપયોગ કરી શકીએ છીએ.

પ્રશ્ન: તો શું એનો અર્થ એ છે કે આનંદ મેળવવો એ જ જીવનનો એક માત્ર ઉદ્દેશ છે?

એકદમ સાચી વાત. આનંદ મેળવવો એ જ જીવનનો એક માત્ર ઉદ્દેશ છે. અને આ જીવન વ્યવસ્થાની કાર્યપદ્ધતિને બરાબર સમજીને અને આપણા વિચારોને આ વ્યવસ્થાનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા તરફ વાળીને આપણે આનંદ મેળવી શકીએ છીએ.

પ્રશ્ન: જે લોકો બીજાની ખુશી માટે પોતાની ખુશીનો ત્યાગ કરે છે તેમના વિષે તમારું શું કહેવું છે?

હકીકતમાં તેઓ પોતાની ખુશીનો ત્યાગ નથી કરતા. પણ તેઓ માત્ર પોતાની ટૂંક સમય માટેની સગવડોનો ઉચ્ચસ્તરીય આનંદ મેળવવા માટે ત્યાગ કરે છે. આવી નિ:સ્વાર્થતામાંથી મળતો આનંદ પોતાના સ્વાર્થ ખાતર કરેલા કાર્યોમાંથી મળતા આનંદ કરતા ખુબ જ વધારે હોય છે. તમે આ સત્યનો દાખલો તમારા જીવનમાં પણ જોઈ શકો છો. બાળ અવસ્થામાં આપણને ધૂળ ખાવા જેવી વાતથી પણ આનંદ આવતો હોય છે. પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણે ઉચ્ચસ્તરીય આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે કોઈપણ સંજોગોમાં આવા ઉચ્ચસ્તરીય આનંદને બાળપણના આનંદથી બદલવા માંગતા નથી.

આપણને સ્પષ્ટપણે એ વાતનો ખ્યાલ આવી જશે કે જેમ તળાવમાં પાણીના અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે તેમ આપણે પણ આ વિશ્વમાં એકબીજા સાથે જોડાયેલા છીએ અને એકબીજા પર આધાર રાખીને જ જીવી શકીએ છીએ. આથી આ સમાજ અને વિશ્વનો આનંદ વધાર્યા સિવાય આપણે આપણો વ્યક્તિગત આનંદ વધારી ન શકીએ. આથી સમજુ લોકો પોતાની ટૂંક સમય માટેની સગવડોનો, વિશ્વની ભલાઈ માટેના વિચારો અને કાર્યોથી મળતા અપાર અને ઉચ્ચસ્તરીય આનંદ માટે, ત્યાગ કરે છે.

પ્રશ્ન: શું વિચારો જ બધું છે? કર્મો વિષે શું?

વિચારો જ બધું નથી. પરંતુ કઈપણ થવાની શરૂઆત પહેલાં વિચારોથી જ થાય છે અને આ વિચારો પર આપણું નિયંત્રણ હોય છે. આપણા દરેક વિચારથી શરું થતી એવી પ્રક્રીયાનો બીજો તબક્કો આપણા કર્મો છે. કઈપણ કરવાની કે મેળવવાની શરૂઆત આપણા મનના વિચારથી જ થાય છે. કર્મના સિદ્ધાંત અનુસાર, “કાર્યમાં ન પરિણમતા હોય તેવા વિચારનો” વિચાર પણ આપણે કરેલો નિર્ણય જ છે. અને આથી તે વિચાર આપણને તે પ્રમાણેના પરિણામો તરફ જ લઇ જાય છે. અને આવી જ રીતે, કાર્ય કરવાનો નિર્ણય એ પણ આપણા દ્વારા સ્વીકૃતિ અપાયેલો એક વિચાર જ છે.

આપણને એ વાત સ્પષ્ટ થઇ જશે કે જે વિચારો કાર્યમાં પરિણમતા નથી તે વિચારો, સામાન્ય રીતે, આપણને આનંદથી દુર લઈ જાય છે. વિચાર પ્રક્રિયાના આ માળખામાં વિચારના ત્રણ પાસા – જ્ઞાન, કાર્ય અને ચિંતન – એકબીજાની સાથે જ ચાલતા રહેતા હોવા જોઈએ. આપણી વિચારસરણીમાં આ ત્રણેયનો સમાવેશ થાય તે ખુબ જ જરૂરી છે.

પ્રશ્ન: હું એ કેવી રીતે નક્કી કરી શકું કે કયા વિચારો મને આનંદ તરફ લઇ જશે અને કયા વિચારો આનંદ તરફ નહિ લઇ જાય?

આ નક્કી કરવાના ઘણા બધા રસ્તાઓ છે. પરંતુ મૂળ સિદ્ધાંત “સત્ય = આનંદ” છે.

માનીલો કે આપણા જીવનમાં જ્ઞાન અને અજ્ઞાનતા એવા બે બળો કાર્યરત છે. જ્ઞાન આપણને સત્ય તરફ લઇ જાય છે અને અજ્ઞાનતા આપણને સત્યથી દુર લઇ જાય છે. હવે આપણે આપણા મૂળભૂત વિચારને ઈચ્છા(સંસ્કૃતમાં જેને સંકલ્પ કહે છે) દ્વારા નિયંત્રિત કરીએ છીએ. આ સંકલ્પ આગળ વધુ વિચારોને જન્મ આપે છે જે કાર્યોમાં પરિણમે છે અને આ કાર્યો આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે. જો આપણો સંકલ્પ સત્યની શોધ માટે હોય તો આપણે આનંદની વધારે નજીક જઈએ છીએ. અને જો આમ ન કરીએ તો આનંદથી વધારે દુર જઈએ છીએ.

બીજા રસ્તાઓમાં તો મૂળ સિદ્ધાંત  “સત્ય = આનંદ”ને જ વિસ્તૃત કરેલો છે.

પ્રશ્ન: આપણે સત્ય શું છે તેનો નિર્ણય કેવી રીતે કરી શકીએ?

આ માટેના ઘણાં રસ્તાઓ છે. સામાન્ય રીતે આ એક વિકસતો અભિગમ છે. સત્યની નિર્ણાયકતા આંધળી માન્યતાઓને બાકાત કરવાની અને નવી સાચી માહિતીઓ અને હકીકતનો સ્વીકાર કરવા માટે ખુલ્લા મનની માંગણી કરે છે. સત્યનો સ્વીકાર કરવાનો અગત્યનો અને જરૂરી એવો ભાગ આપણો સંકલ્પ કે ઈચ્છા જ છે.

આમાં નીચેની રીતોનો સમાવેશ થાય છે:

૧. રદ કરવાની પ્રક્રિયા. CAT કે GMATની પરીક્ષા આપતા વિદ્યાર્થીની જેમ તર્ક અને હકીકતનો આઘાર લઇ સ્પષ્ટ દેખાતા એવા ખોટા વિકલ્પોને તરત જ રદ કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, આપણને ખબર છે કે પૃથ્વી ગોળ છે, તો પછી પૃથ્વી સપાટ છે તેમ કહેતી બધી જ ધાર્મિક પુસ્તકો અને પૂર્વધારણા પર આધારિત માન્યતાઓને આપણે રદ કરવી જોઈએ.

૨. ધારણાઓ પરસ્પર વિરોધી છે કે નહિ તેની ચકાસણી. ઉદાહરણ તરીકે, કોઈ એમ કહે કે ઈશ્વર ન્યાયી છે, અને પછી એમ પણ કહે કે ઈશ્વર પુરુષોની સરખામણીમાં વધારે સ્ત્રીઓને નર્કમાં મોકલે છે, તો આ બંને વાક્યો પરસ્પર વિરોધી છે. આથી તેઓ તરત જ રદ કરવાને લાયક છે.

૩. આત્મલક્ષી વિશ્લેષણ અને તર્કનો ઉપયોગ.

૪. પ્રસ્તુત હકીકત સાચી છે કે નહિ તેની ચકાસણી, વગેરે

આ પોતાનામાં જ એક એવું વિજ્ઞાન છે જે વિશ્લેષણ અને ચિંતન માંગી લે છે. પરંતુ આ માટે “સત્યને પામવા માટેનો સંકલ્પ” હોવો ખુબ જ જરૂરી છે.

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે?

કર્મનો સિદ્ધાંત તત્કાળ જ કાર્ય કરવાનું શરું કરી દે છે. દરેક વિચાર આપણા મગજમાં ખાસ પ્રકારની મજ્જાતંતુઓની અભિરચના(pattern of neuron) ઉત્પન્ન કરે છે. આમ થવાથી શરીરમાં ક્રિયા-વિજ્ઞાનને લગતા ઘણાં બધા બદલાવ શરું થાય છે. જેમાં અંત:સ્ત્રાવના સ્તરમાં વધ-ઘટ, હૃદયના ધબકારના દરમાં વધ-ઘટ, જેવા બદલાવોનો સમાવેશ થાય છે. અને પછી બનેલી મજ્જાતંતુની અભિરચના(neurological patterns)આ વિચારને અનુકૂળ થવાનું શરું કરી દે છે. આથી, જો તમે કોઈ એક વસ્તુ પર વારંવાર વિચાર કર્યા કરો તો મજ્જાતંતુઓની એવી અભિરચના તૈયાર થાય છે કે જેથી ભવિષ્યમાં આ વિચાર પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે. આથી જ આપણે સારી કે ખરાબ ટેવોની લત લાગેલા લોકો જોઈ શકીએ છીએ. આ વિચારો વ્યક્તિની વિચારસરણી અને તેના પરથી તેનું વ્યક્તિત્વ, આરોગ્ય અને કાર્યો નક્કી કરે છે.

આમ, દરેકેદરેક વિચાર આપણા સમગ્ર વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે. અને આ વિચારો બદલીને આપણે આપણું વ્યક્તિત્વ પણ બદલી શકીએ છીએ. આ પ્રક્રિયા બધા જ વ્યક્તિઓ સાથે થતી હોય છે. અને આપણી વિચારસરણી પ્રમાણે, જયારે આપણે બીજા લોકો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરીએ છીએ ત્યારે ઘણી મોટી સામાજિક વિચારસરણી અને વર્તણૂક ઉત્પન્ન થાય છે. આ આપણા સમગ્ર વ્યક્તિત્વ પર વધુ પ્રભાવ પાડે છે

માત્ર મનુષ્યો અને સમાજ સુધી મર્યાદિત ન રહેતા આનો પ્રભાવ પ્રકૃતિમાં પણ વિસ્તરેલો હોય છે કારણ કે આપણે દ્રવ્ય અને ઉર્જાનો પ્રકૃતિ સાથે સતત વિનિમય કરતા રહીએ છીએ. આથી જ આપણે સમયાંતરે, તબીબી વિજ્ઞાનમાં માત્ર ઈચ્છા-શક્તિના ઉપયોગથી જ માનવામાં ન આવે તેવા ચમત્કારો થતા જોઈ શકીએ છીએ.

આમ આપણા વિચારો આપણું ભવિષ્ય બને છે. આપણે, આત્માઓ, આપણા શરીર અને મનથી અલગ છે. જયારે આપણે મૃત્યુ પામીએ છે ત્યારે આપણું શરીર અને મન(મગજ) પ્રકૃતિ સાથે પોષણ આપનારા દ્રવ્ય અને ઉર્જાનું વિનિમય કરવાનું બંધ કરી દે છે અને આથી આ શરીર ક્ષીણ બની મૃત્યુ પામે છે. પરંતુ આત્મા, કે જે આ વ્યવસ્થાનું નિયંત્રણ કરતી હતી, તેનાં પર શરીરના મૃત્યુની કંઈ જ અસર થતી નથી.

હવે આત્મા બીજી નવી વ્યવસ્થામાં(મન અને શરીર) પ્રવેશ મેળવે છે અને તેની મુસાફરી ચાલુ રાખે છે. આપણી યાદો મગજનો જ ભાગ હોવાથી આત્માના આ સ્થળાંતર દરમિયાન તે નષ્ટ પામે છે. પરંતુ આત્મા સંસ્કારોથી ભરેલું સ્થૂળ શરીર તેની સાથે લઇ જાય છે. ઈશ્વર એ વાતનું ધ્યાન રાખે છે કે આ નવી વ્યવસ્થા આત્માની સતત અને અવરોધ રહિત મુસાફરી માટે શ્રેષ્ઠ હોય. હવે આ સંસ્કારો અનુસાર આત્મા ફરીથી તેનું વ્યક્તિત્વ વિકસાવે છે. તે પહેલાંની જેમ જ પ્રકૃતિ સાથે દ્રવ્ય અને ઉર્જાનું વિનિમય કરવાનું શરું કરી દે છે અને આગળ વિકાસ પામતી જાય છે.

દરેક ક્ષણે ઈશ્વર એ વાતનું ધ્યાન રાખે છે કે આ વિશ્વમાં આપણને જે કઈપણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તે આપણને શ્રેષ્ઠત્તમ આનંદ મેળવવા માટે ખુબ રીતે અનુકૂળ હોય. આ પ્રક્રિયા શ્રેષ્ઠતાનુંરૂપ સતત ચાલતી જ રહે છે. જયારે આપણે આપણી ઈચ્છાશક્તિનો ઉપયોગ મૂર્ખાઈ ભરેલા કાર્યો કરવા માટે કરીએ છીએ ત્યારે નીરસ પરિસ્થિતિઓ ઉદ્દભવે છે અને આપણી દુ:ખ તરફ અધોગતિ થાય છે. અને જયારે આપણી ઈચ્છાશક્તિનો ઉપયોગ સત્યની શોધ માટે કરીએ છીએ ત્યારે આપણી પ્રગતી થાય છે. આ પ્રક્રિયા મૃત્યુથી પણ વિક્ષેપિત થતી નથી.

પ્રશ્ન: પ્રાણીઓ અને બીજી નીચી જાતિઓ માટે તમારું શું કહેવું છે? તેઓ તેમની ઈચ્છાનો ઉપયોગ કેવી રીતે કરે છે?

માત્ર મનુષ્યો પાસે જ ઈચ્છાશક્તિ હોય છે. બીજા વર્ગના પ્રાણીઓનો તેમની ઈચ્છાનો ઉપયોગ કરી શકતા નથી અને તેમણે સામે આવતી પરિસ્થિતિઓનો માત્ર સ્વીકાર જ કરવો પડે છે. જયારે આત્માનું સ્તર એટલું નીચું થઈ જાય છે કે તે ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવા માટે સક્ષમ રહેતી નથી ત્યારે તે પ્રાણી યોનીમાં જન્મ લે છે અને ત્યાં તે તેના પહેલેથી એકત્રિત થયેલા ખરાબ સંસ્કારોને દુર કરે છે. માનસિક બીમારીથી પીડાતા લોકોની બાબતમાં પણ આમ જ થાય છે.

એ વાતની નોંધ લો કે આ વિશ્વ બહુ-પરિમાણીય(multi-dimensional) છે. આથી આ વિવિધ પરિમાણો અને જીવનના જુદા-જુદા પાસાઓમાંની વિચારસરણીઓને કારણે આના સંભવનીય મિશ્રણો લગભગ અનંત છે. એ કોઈ અલગ અને સ્વતંત્ર વ્યવસ્થા નથી પરંતુ સતતપણે ચાલતી વ્યવસ્થા છે. આથી દરેક આત્માના જન્મ માટેની પરિસ્થિતિઓ અલગ-અલગ હોય છે – અલગ-અલગ યોની, પરિસ્થિતિઓ, આરોગ્ય, સમાજ વગેરે.

પ્રશ્ન: અકસ્માતો અને બીજી એવી ઘટનાઓ વિષે તમારું શું કહેવું છે કે જેના પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી?

જો આપણે ઘ્યાનથી આ વાતનું વિશ્લેષણ કરીએ તો, આમાંની મોટા ભાગની ઘટનાઓ પર આપણી સામુહિક બુદ્ધિમત્તાનું નિયંત્રણ હોય છે. આમ, સામુહિક રીતે આપણે બધા જ આતંકવાદ અને વાતાવરણના નુકસાન માટે જવાબદાર છીએ. આપણે વ્યતિગત રીતે પણ આના માટે ઘણું બધું કરી શકીએ છીએ. કર્મના સિદ્ધાંત અનુસાર, આપણે એકલા જ છે તેમ માનવાથી આપણે આપણી કોઈપણ જવાબદારી માંથી મુક્ત નહિ થઇ શકીએ.   

આપણી વૃત્તિઓ અને સંસ્કારો અનુસાર આપણને આ પૃથ્વી પર જે જન્મ મળ્યો છે તે આપણા આગળના વિકાસ માટે શ્રેષ્ઠત્તમ જ છે. આમા સામાજિક કાર્યોમાં આપણી ઈચ્છાશક્તિના પ્રયોગનો પણ સમાવેશ થાય છે. આથી આપણે જે પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ તે પણ આપણા જ કર્મોનું પરિણામ છે.

એવી ઘણી ઘટનાઓ હોય છે કે જેના થવા પર આપણું કોઈ દેખીતું નિયંત્રણ હોતું નથી. તે આપણા પાછલા કર્મોના ફળ છે. પણ કોઈપણ સ્થિતિમાં, આમાંની કોઈપણ ઘટના આનંદ મેળવવાની આપણી લાયકાતને અવરોધતી નથી. કર્મના સિદ્ધાંત અનુસાર, આમા થોડો વિલંબ આવી શકે છે. પરંતુ આ વિલંબનો ઉપયોગ આપણે ચુકી ગયેલા પાસાઓમાં પોતાને ઉન્નત કરવા માટે કરી શકીએ છીએ. યાદ રાખો કે, આ જુદા-જુદા પાસાઓ ધરાવતું બહુ-પરિમાણીય વિશ્વ છે.

પ્રશ્ન: આપણને આપણો પાછલો જન્મ કેમ યાદ નથી રહેતો?

કારણ કે આનંદ પ્રાપ્તિનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે પાછલો જન્મ યાદ રહેવો જરૂરી નથી. એ વાત યાદ રાખો કે આ શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે અને તેમાં કોઈપણ પ્રકારની નિરર્થકતાને સ્થાન નથી. જો આપણને આપણો પાછલો જન્મ યાદ રહેતો હોય તો આપણે આગળ વધી ન શકત. આથી, પાછલા જન્મી તો વાત જ જવા દો, આપણને આ જન્મની પણ ઘણી બધી ઘટનાઓ યાદ રહેતી નથી. જેટલું જરૂરી હોય તેટલું જ યાદ રહે એ પ્રાકૃતિક નિયમ છે. અને ભૂતકાળમાં જીવીને લોકો જયારે આ નિયમનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમના આ અપ્રાકૃતિક વલણને લીધે તેઓને ઘણી બધી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

માત્ર વર્તમાનમાં રહીને અને સારા ભવિષ્ય તરફ આપણા વિચારો અને કર્મોને વાળીને જ આપણે સૌથી વધારે આનંદ મેળવી શકીએ છીએ. આથી જ કદાચ Ghost અને  Past શબ્દોનો અર્થ સંસ્કૃતમાં ‘ભૂત’ એવો થાય છે. (કર્મના સિદ્ધાંત પ્રમાણે ભૂત(Ghost) જેવું કશું હોતું નથી.)

પ્રશ્ન: આપણને પાછલો જન્મ યાદ નથી રહેતો તો પછી આપણને પાછલા જન્મોના કર્મોની સજા કેમ મળે છે?

સામાન્ય રીતે આપણે સમજીએ છીએ એમ કર્મના સિદ્ધાંતમાં સજા કે ઈનામ જેવું કંઈ હોતું નથી. કર્મનો સિદ્ધાંત એ વધારે આનંદ મેળવવા માટે સતતપણે ચાલતી શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા જ છે. લોકોની સામાન્ય માન્યતા પ્રમાણે જીવનમાં અચાનક જ કોઈ આફત આવી પડતી નથી. કર્મના સિદ્ધાંતની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો અવરોઘ હોતો નથી.

ઉદાકરણ તરીકે, મધુમેહ(diabetes)નો રોગ. તે એક રાતમાં જ નથી થઇ જતો. આનાથી ઉલટું, ખરાબ દિનચર્યા અને આદતોને લીધે તે ધીમે ધીમે થતો જાય છે. અને જયારે અમુક ઉંમર પછી તેના લક્ષણો દેખાય છે ત્યારે આપણે પોતાને મધુમેહના રોગી ગણીએ છીએ. પણ વાસ્તવમાં, આ બધું કોઈ એક જ દિવસમાં થતું નથી. જ્યારથી સારું આરોગ્ય જાળવવા માટે જરૂરી એવી ટેવોની વિરુદ્ધમાં પહેલી વાર આપણે કંઈક કરીએ છીએ ત્યારથી જ આપણે રોગી બનીએ છીએ. અને જયારથી આપણે આરોગ્ય જાળવવા માટે જરૂરી એવી ટેવો વિકસાવીએ છીએ ત્યારથી જ આપણું આરોગ્ય સુધરતું જાય છે. રોગના અંતિમ લક્ષણો આ આખી મુસાફરી દરમિયાન એકત્રિત થયેલી અસરોને દર્શાવે છે. હવે મધુમેહ માટે જવાબદાર એવા આપણા કાર્યો માંથી ૧% કાર્યો પણ આપણને યાદ નહિ હોય પણ તેમ છતાં આપણે મધુમેહના રોગી બનીએ છીએ. આની પાછળનું કારણ આપણી મધુમેહ પેદા કરનારી વૃત્તિઓ છે.

આ જ પ્રમાણે, આપણને આપણો પાછલો જન્મ યાદ ન હોવા છતાં આપણી વર્તમાન વૃત્તિઓ આપણા આખા ઈતિહાસની એકત્રિત થયેલી અસરો જ છે. કોઈ ઘટનાની વધારે વિગત અગત્યની નથી. આપણી વર્તમાનની પરિસ્થિતિ, જેને આપણે સજા કહીએ છીએ, એ આપણે ભૂતકાળમાં કરેલા કાર્યોની અસર જ છે.

અને આમાંથી બહાર નીકળવાનો રસ્તો સરળ છે. તમારી વિચારસરણીને શુદ્ધ કરો. જયારે આપણી વિચારસરણી શુદ્ધ થાય છે અને આપણે વધારે આનંદ મેળવવા માટે આપણી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરતા શીખીએ છીએ ત્યારે આપણે દુ:ખ આપતી આપણી વૃત્તિઓને એકત્રિત થતી અટકાવી શકીએ છીએ. અને આમ આપણી સજાઓ ઓછી થતી જાય છે.

પ્રશ્ન: સારા લોકોના વિચારો અને કર્મો સારા હોવા છતાં શા માટે તેઓને આટલું બધું દુ:ખ સહન કરવું પડે છે?

૧. સુખ એ મનોસ્થિતિ છે. જેને આપણે દુ:ખ સમજીએ છીએ તે ટૂંક સમય માટેની અગવડો છે. અને વધારે આનંદ માટે આપણે આવી અગવડોનો રાજી થઇ ને સ્વીકાર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જયારે આપણે રમત રમીએ છીએ ત્યારે આપણે હાંફીએ છીએ, થાકી જઈએ છીએ, આપણને વાગે છે, પણ તેમ છતાં આપણે રમવાનું ચાલુ જ રાખીએ છીએ. કારણ કે રમવાનો આનંદ આવી સામાન્ય તકલીફોની સરખામણીમાં ઘણો વધારે હોય છે!

૨. આમાંના મોટા ભાગના વર્તમાનના દુ:ખો ભૂતકાળની એકત્રિત થયેલી વૃત્તિઓનાં દેખાતા લક્ષણો જ હોય છે.

૩. બીજા ઘણા દુ:ખો કસરત કરવાને લીધે થતા દુખાવા જેવા હોય છે. આપણી શરીર વ્યવસ્થા અનુકુળ આવી ન હોવાથી શરૂઆતમાં થોડા સમય માટે દુખાવો થાય છે. પણ થોડા દિવસોમાં પીડા દુર થઇ જાય છે અને આપણને કસરતથી લાભ થાય છે.

૪. બીજી અમુક પ્રાકૃતિક મુશ્કેલીઓ હોય છે કે જે જીવનમાંથી ક્યારેય દુર થતી નથી. અને ઈચ્છાશક્તિના ઉપયોગનો બીજો એક ઉદ્દેશ આવી મુશ્કેલીઓની આપણા પર માનસિક અસર ન થાય તે શીખવાનો છે.

૫. બીજા કેટલાક દુ:ખોનું કારણ એ છે કે સારા લોકો બધી જ રીતે સારા હોતા નથી. જેમકે કોઈ વ્યક્તિ ખુબ જ પ્રમાણિક હોય પરંતુ તે સશક્ત અને ખડતલ નથી અને પોતાનો બચાવ નથી કરી શકતો. આમ તે નબળો હોવાથી ગુંડાઓ તેની હત્યા કરી નાંખે છે. આ પાછળનું કારણ તેનું શરીર મજબુત બનાવવાની અને આત્મરક્ષણ કરવાની બાબતમાં તેની ઈચ્છાનો અભાવ છે.

યાદ રાખો કે, સત્ય જાણવું અને શક્તિશાળી હોવું આ બંને એકબીજાની સુમેળમાં જ રહે છે.

પ્રશ્ન: આપણે ખરાબ લોકોને શક્તિશાળી બનતા કેમ જોઈએ છીએ?

મોટા ભાગે આનાથી ઉલટું સત્ય છે.

૧. આવા લોકોને ક્યારેય માનસિક શાંતિ મળતી નથી. ભ્રષ્ટ, ગુન્હેગાર કે કપટી બનવા આપણું સર્જન થયું નથી. આપણે ભલેને આવા લક્ષણોની અવગણના કરીએ પરંતુ તે તેમની આડઅસરો ઉત્પન્ન કરીને જ રહે છે. તેમની પાસે ભૌતિક સંપત્તિ અને સત્તા હોવા છતાં આ લોકો ખુબ જ દુ:ખી હોય છે. કારણકે તેઓ હંમેશા અસુરક્ષિત, અવિશ્વાસી, માનસિક તણાવ અનુભવતા અને ભૌતિક સમસ્યાઓનો સામનો કરતા રહે છે. ખરાબ ટેવો અને લક્ષણો એ અશુદ્ધ ખોરાક જેવા હોય છે.

૨. આ વિશ્વ બહુ-પરિમાણીય છે. સારા અને ખરાબ એ કોઈના માટે વપરાતા એકવચની વિશેષણ નથી. કોઈ વ્યક્તિ તેના જીવનના બધા જ પાસાઓમાં ખરાબ હશે પણ તેનામાં આત્મવિશ્વાસ, ચપળતા જેવા સારા ગુણો પણ હોય શકે છે. આથી તે તેના જીવનના અમુક ક્ષેત્રમાં સફળ હોય શકે છે, જેમ કે ધન-સંપત્તિ. પરંતુ બીજા ક્ષેત્રમાં તે સંપૂર્ણ નિરાશ હોય છે.

પ્રશ્ન: કર્મના સિદ્ધાંતનો શો ઉદ્દેશ છે?

કર્મનાં સિદ્ધાંતનો ઉદ્દેશ આપણને શ્રેષ્ઠત્તમ આનંદ આપવાનો છે. આમાં માત્ર લાયકાતને જ સ્થાન છે. પક્ષપાત કે સ્વછંદીપણાનું સ્થાન નથી. આપણે જે વિચારીએ છીએ આપણે તેવા જ બનીએ છીએ. આ બધું વિચારોની દિશા અને પ્રબળતા પર આધારિત છે. જો આપણે આપણા જીવનનું બારીકાઈથી અવલોકન કરીએ તો આ કર્મનાં સિદ્ધાંતની અસરના ઘણાં પુરાવા મળી જશે. અને પછી આપણે બીજાની ઇચ્છાઓને આધીન ન થઈ આપણી ખુશી માટે આનો ઉપયોગ કરીએ છીએ.

પ્રશ્ન: ઈશ્વર આપણી કસોટી કેમ કરે છે?

ના, ઈશ્વર આપણી કસોટી ક્યારેય કરતો નથી. આ એક ખોટી માન્યતા છે. ઈશ્વર માત્ર આપણા માટે આ કર્મના સિદ્ધાંતનું સંચાલન કરે છે. તેણે આપણને આપણું ભાગ્ય નક્કી કરવાની સંપૂર્ણ છૂટ આપી છે. જેને આપણે ઈશ્વરની કસોટી ગણીએ છીએ એ બીજું કંઈ નહિ પણ આપણા જ પાછલા લક્ષણો છે કે જેની સામે આપણે લડતા રહીએ છીએ.

પ્રશ્ન: જીવનનો ઉદ્દેશ શું છે?

કર્મનો સિદ્ધાંતના ઉપયોગથી શ્રેષ્ઠત્તમ આનંદ મેળવવો.

પ્રશ્ન: કામવાસના, દારૂ પીવો વગેરે પણ આપણને આનંદ આપે છે. તો શું આમ કરવું એ કર્મના સિદ્ધાંત અનુસાર યોગ્ય છે?

ના. આ બધી વસ્તુઓ આપણને આનંદ આપતી નથી પરંતુ આ બધું આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને ભાવશૂન્ય બનાવી આનંદ આપ્યાનો ભ્રમ પેદા કરે છે. જે કઈપણ વસ્તુ કે વ્યક્તિ આપણને વિચાર કર્યા વગર કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે છે તે ચોક્કસ દુ:ખ આપનારી છે. આપણે ખુશી ત્યારે જ વધારી શકીએ છીએ જયારે તે બહારના સાધનો પર ઓછામાંઓછી આધારિત હોય. આ ત્યારે જ શક્ય બને છે કે જયારે આપણી પાસે પૂરતું જ્ઞાન હોય અને આપણા મન પર આપણો કાબુ હોય. આ જ સત્યને બીજી રીતે જોઈએ તો દરેક કાર્ય કરતા પહેલાં આપણે આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે “આ કાર્યનો ઉદ્દેશ શો છે?”  અને જો આ પ્રશ્નનો ઉત્તર તમને ખોટા મનોરંજન માટે, આદતની પુરતી કરવા માટે કે પછી બીજા કોઈ અનિશ્ચિત બહાનાના રૂપમાં મળે તો કર્મના સિદ્ધાંત અનુસાર તે યોગ્ય કાર્ય નથી.

જીવનનો ઉદ્દેશ જ્ઞાન વધારી આપણી જાતને આવા ખોટા બહાનાઓ માંથી મુક્ત કરવાનો છે. અને જે કાર્ય આપણી ઇન્દ્રિયો અને બુદ્ધિને ભાવશૂન્ય બનાવે છે તે આપણી અધોગતિ આમંત્રે છે.

પ્રશ્ન: જો આપણે માંફી માગીએ તો શું ઈશ્વર આપણા ભૂતકાળના પાપકર્મો માફ કરી દે છે?

શું આવું વાસ્તવિક જીવનમાં બને છે? જયારે બેપરવા રીતે વાહન ચલાવવાથી આપણો અકસ્માત થાય છે ત્યારે શું માંફી માગવાથી આપણા ઘા નું નિદાન થઇ જાય છે? જો કોઈ આમ માંફી માંગીને છટકી જતું હોય તો, લોકો બહુ આળસુ બની જાય અને મુશ્કેલીઓમાં માત્ર માંફી માગી તેમાંથી બહાર આવી જાત. પ્રકૃતિ અને તેના નિયમો એ બીજું કંઈ નહિ પણ ઈશ્વરની વ્યવસ્થાનું ભૌતિક સ્વરૂપ છે. અહીંયા જે કાયદાઓ લાગુ પડે છે તે બીજા સ્થાને પણ લાગુ પડે છે. વેદોની ભાષામાં તેને “Yat Pinde, Tat Brahmande – જે કઈપણ આ સુક્ષ્મ સ્તરે થાય છે તે બીજે પણ થાય છે.”

કર્મના સિદ્ધાંતમાં માંફીને સ્થાન નથી. તેમાં માત્ર સુધરવાનો જ વિકલ્પ છે. આ વર્ષો પછીની આળસ પછી કસરત કરવા જેવું છે. તેમાં શરૂઆતમાં થોડી પીડા થાય છે. અને તેને અનુકુળ આવતા થોડી વાર લાગે છે. પણ જેટલો વધારે પ્રબળ આપણો સંકલ્પ હોય છે તેટલું વધારે ખડતલ આપણું શરીર બને છે. કોઈપણ ચમત્કાર થતો નથી. પણ ખરી ઇચ્છાથી જરૂરથી પ્રગતિ થાય છે.

પ્રશ્ન: ઈચ્છાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવા માટેનું કોઈ માળખું છે?

આના માટે વૈદિક યોગનું માળખું છે. પરંતુ આ યોગને શારીરિક કસરતો અને મુદ્રાઓ સાથે કોઈ સંબંધ નથી. કર્મના સિદ્ધાંત પ્રમાણે આ યોગ એ સ્વયમને સમજવા અને દરેક ક્ષણે જીવન જીવવાનું વિજ્ઞાન અને કળામાં નિપુણ થવા માટેનો રસ્તો છે. આ એકદમ અંત:પ્રજ્ઞ છે અને દરેક વ્યક્તિ મૂલ્યાંકન કરી શકે તેવા ગાઢ સિદ્ધાંતો પર આધારિત છે. પરંતુ આ એક વ્યવહારિક અને વાસ્તવિક વિજ્ઞાન છે અને યુદ્ધ કળાની જેમ તેનો અભ્યાસ કરવો પડે છે.

પ્રશ્ન: હું આને ક્યાં શીખી શકું?

જો તમે સત્ય અને આનંદના માર્ગ પર રહેવાનો સંકલ્પ કરી ચુક્યા છો તો તમે આ ક્રિયાને શીખી જ રહ્યા છો. આ એક સ્વયં સંચાલિત આંતરિક પ્રક્રિયા છે. નિષ્ણાંતો તમને આના પર શોધેલું જ્ઞાન આપી શકે છે કે જેથી કરીને તમે આ જ્ઞાનનો તમારા જીવનમાં ઉપયોગ કરી શકો અને ઝડપથી સારા પરિણામો મેળવી શકો. પરંતુ યાદ રાખો કે યુદ્ધ કળાની જેમ આ સતત અભ્યાસની પ્રક્રિયા છે. કોઈપણ માર્ગદર્શક કે શિક્ષક તમને સંપૂર્ણ જ્ઞાન નહિ આપી શકે. તેઓ તમને માર્ગદર્શન આપી શકે છે પણ પછી તમારે તમારી બુદ્ધિથી નિર્ણય લેવો પડેશે. કર્મના સિદ્ધાંતમાં જવાબદારીઓની અદલા બદલી થતી નથી. તે ૧૦૦% તમારી જ રહે છે.

Original post in English is available at  http://agniveer.com/theory-of-karma-hinduism/

 

9 COMMENTS

  1. विनम्र निवेदन है कि यह भाषा हमारी समझ से बाहर है कृपया हिन्दी या इंग्लीश में ही पोस्ट करें

  2. Karma based reincarnation in the Vedas:

    “O soul, God grants for thy bodies in different births, according to thy DEEDS a happy or unhappy place on this earth. May radiant beams prove helpful to thee!” (Chapter 35, verse 2) Translated by Devi Chand M.A.

    – This is very clear that the Veda is talking about Karma. The fact that the word DEEDS is used is very clear indicator of it. And it also talks about different births, which is also clear about reincarnation.

    • Idea of reincarnation was brought up by King Nimrod’s mother viz. Semiramis, the first mother goddess of idolators. Nimrod alias desi Shiva alias Osiris alias Apolloyn alias Baal, who was a cushite or dravidian was the founder of idolatry. As Nimrod was murdered, his mother Semiramis was preganent by him and she said that the child she is preganent with is Nimrod in his rebirth, just to keep his kingship and glory going. Semiramis started goddess worship and fooled people into reincarnation or rebirth. Babylon is the hub of idolatry and the Whore of Babylon as mentioned in the Bible is Semiramis’ evil works which still rules idolating cultures of this world.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories