UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

Home Blog Page 2

Dozens of families brought back from missionary clutches to Sanatan Dharma this Christmas

0

Vedic Deeksha program organised by Agniveer Gujarat in which we brought back dozens of families back from missionary clutches to Sanatan Dharma this Christmas.

He was misguided and converted by missionaries years ago. Agniveer brought him along with dozens of families back to Dharma in our Vedic Deeksha program. He was being interviewed by news channels and see his bhavna now

Listen to our Mahendra Rajpurohit bhai addressing the converted tribals before their Shuddhi & Vedic Deeksha.

Various news channels covered this event. Here’s a short clip from NEWS18

Agniveer is committed to Dharma Raksha.

Naman to all of you for supporting us and our teams working on ground 24×7 for Dharma. Om

Dozens brought back to Sanatan Dharma from missionary clutches in Nashik, Maharashtra

0

Our Vedic Deeksha Yajna in Nashik, Maharashtra. Dozens brought back from missionary clutches.

We will take Vedas & Sanatan Dharma to every single doorstep.

Om

Support our Yajna

Agniveer’s Akhadas in West UP’s sensitive regions

0

Janeu given to more than 50 in Ratanpur village, Fatehpur

0

Janeu given to more than 50 people in Ratanpur village, Fatehpur, Uttar Pradesh. Yajna continued despite of rain.

We are committed to Dharma. Will do our Dharma, come hell or high water. Dharma is what we care for.

144 Tribal Families Embrace Sanatan Dharma in Gujarat

0

144 tribal families embrace roots with Vedic Deeksha in Dang, Gujarat. Tribals from the belt suffering from conversion approached Agniveer last month and wished to embrace ancestral path. Missionary Conversion Mafia tried hard to stop, but couldn’t. Volunteers from Agniveer Gujarat led the event

144 families, one wish – to embrace faith of their ancestors. Agniveer organised Vedic Deeksha Yajna for tribals of Dang, Gujarat.

They all now follow their Vedic traditional tribal faith. Om..

Support our Yajna

Rescue of minor girl abducted from Delhi’s Jahangirpuri

0

A 16 year old girl was abducted by Chand in Delhi’s Jahangirpuri. Chand also stole 70,000 Rs from poor family.

Mother contacted Agniveer and our team visited the family. They narrated us their plight and complained about authorities’ inaction.

After Agniveer’s intervention girl has now been rescued.

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૫

સત્ય ૨૧

વેદ સંસારનો સૌથી સહિષ્ણુત ગ્રંથ છે.

જેમ આપણે સ્વયંની ભૂલો અને દુર્બળતાઓને સહન કરી લઇ તેના પ્રત્યે ઉદારભાવ રાખીએ છીએ, તેમ વેદ બીજાની ભૂલો અને માન્યતાઓ પ્રત્યે ઉદારભાવ રાખવાનું કહે છે. વેદ વિવિધતામાં એકતા અને બંધુત્વની ભાવના જાળવી રાખવાનું કહે છે. વેદ કહે છે કે આ સંસારમાં હંમેશા વિવિધ ભાષાઓ, રીતી-રીવાજો, વિચારધારાઓ અને સંસ્કૃતિઓનું અસ્તિત્વ રહશે. તેમ છતાં બધાં જ જીવોની ઉત્પત્તિ, પોષણ અને રક્ષણ કરનારી શક્તિ (ઈશ્વર) એક જ હોવાથી આપણે સમગ્ર માનવજાતિને એકતા અને ભાઇચારાના બંધનમાં બંધવાનો પ્રયત્ન કરવો જોઇએ.

ઘણાં સંપ્રદાયોએ સત્યનો ઠેકો લઇ રાખ્યો છે. અને એમના સત્યનો અસ્વીકાર કરનારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. વેદ આવા સંપ્રદાયોને કટ્ટરપંથી સંપ્રદાયો ગણે છે. કારણ કે માન્યતાને બળજબરીપૂર્વક સ્વીકાર કરાવવા માટે કોઈ કાયદો ન બની શકે. E=mc^2એ સાપેક્ષતાનો નિયમછે. પણ આઈન્સ્ટાઈનનું સંશોધન એવું નથી કહેતું કે જે આ નિયમને નહીં માને તેને નર્કની આગમાં સળગવું પડશે. સત્ય તો સત્ય જ રહેવાનું છે, ભલેને કોઈ તેનો સ્વીકાર કરે કે ન કરે. આમ E=mc^2ની સામે ફતવો જાહેર કરવાને બદલે બુદ્ધિશાળી વ્યક્તિ યોગ્ય વિદ્યાર્થીઓને આ નિયમ શીખવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓ આ નિયમને સમજી તેના પર ચિંતન કરી શકે. અને જો બીજા તથ્યો ઉજાગર થાય તો આ નિયમનો અસ્વીકાર કરે અથવા તો તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે. આને જ ખરા અર્થમાં વૈદિક ચિંતન કર્યું કહેવાય.

સત્ય ૨૨

વેદમાં ધર્મની છાપ મહત્વની નથી.

વેદ અનુસાર દરેક વ્યાક્તિને કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર પોતાના ધર્મનો પ્રચાર કરવાની પૂરી સ્વતંત્રતા છે. વેદ સૌ પ્રથમ મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનવાનું કહે છે. હિંદુ, મુસ્લિમ કે ઈસાઈ બનવું એ પછીની વાત છે.

સત્ય ૨૩

વેદમાં ધર્માંતરણ નથી.

પોપની મહત્વાકાંક્ષા આખા વિશ્વને ઈસાઈ બનાવવાની છે. મિશનરીઓ આ ઉદ્દેશ્યની પુરતી માટે જ સમાજીક પ્રવૃત્તિઓની આડમાં ખુલ્લેઆમ ધર્માંતરણ કરતા જોવા મળે છે. ઝાકીર નાયક જેવા કટ્ટરવાદીઓ એમ માને છે કે જ્યાં સુધી મુસલમાન ગેરમુસલમાનોનું ધર્માંતરણ નહીં કરે ત્યાં સુધી તેને સ્વર્ગમાં સ્થાન નહીં મળે.

મધ્યયુગના આ કટ્ટરપંથી ધર્મ સંપ્રદાયોના એજન્ટ માનવજાતિને મુસલમાન અને ગેરમુસલમાનમાં વિભાજીત કરે છે. તેઓ આતંક, ભય, લોભ, યુદ્ધ કે બીજી કોઈ કુટનીતિની જાળ ફેલાવી ગેરમુસલમાનોની જનસંખ્યા ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. તેમના મનમાં ગેરમુસલમાનો પ્રત્યે અતિશય નફરત છે. દુનિયામાં સૌથી ખતરનાક આતંકવાદીઓને જ જોઈ લો. તમનો હેતુ સ્પષ્ટ છે – ગેરમુસલમાનોનો સફાયો.

પોપ કહે છે કે દરેક ઇસાઈએ જિજસને ઈશ્વર પુત્ર માનવો જ પડશે. ભલેને જિજસ અવૈજ્ઞાનિક અને અતાર્કિક ચમત્કારો કરતો હોય. ઝાકીર નાયક જેવા કટ્ટરવાદીઓ અનુસાર દરેક મુસલમાનને ‘લા ઇલાહા ઈલ્લલ્લાહ મુહમ્મદુર સરુલલ્લાહ’માં (અલ્લાહ જ એક અને માત્ર એક ઈશ્વર છે અને મોહંમદ એ અલ્લાહનો પેગંબર છે) માનવું જ રહ્યું.

પણ વેદ મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય (મનુર ભવ:) બનવાનું જ કહે છે. વૈદિક ધર્મ અનુસારાવાનો સંકલ્પ લેવા માટે કોઈ ખાસ મંત્રમાં માનવું જ પડે એવું નથી. તમારે માત્ર પ્રમાણિક બની સાચા અર્થમાં મનુષ્ય બનવાનો સંકલ્પ કરવાની જ જરૂર રહે છે.

સત્ય ૨૪

વેદમાં માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને નિષ્ઠા છે.

વેદ કહે છે કે સૌથી પહેલો ધર્મ છે “રાષ્ટ્રધર્મ – દેશપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યે અનન્ય નિષ્ઠા.” રાષ્ટ્રહિત સામે હિન્દુ, મુસ્લિમ કે ઈસાઈ, બધું જ ગૌણ છે.

પણ ભારત દેશની એક કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે વિદેશી શત્રુઓ ભારત પર આક્રમણ કરે છે ત્યારે દેશના કેટલાંક ધર્મ સંપ્રદાયો રાષ્ટ્રહિત વિરુદ્ધમાં દેશદ્રોહને પ્રોત્સાહન આપતા જરા પણ કચવાટ અનુભવતા નથી. સંકટના સમયે આ સંપ્રદયોના લોકોમાં દેશપ્રેમ અને માતૃભૂમિની રક્ષાની ભાવના મારી પરવારે છે. માત્ર એટલા માટે કે વિદેશી શત્રુનો અને તેમનો ધર્મ એક છે. ૧૯૬૨ માં જયારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે સામ્યવાદીઓને ભારતમાતા કરતા કાર્લ માર્ક્સ વધુ પ્રિય હોવાથી ચીનની તરફેણ કરી.

આવા વિશ્વાસઘાત અને દેશ્ધ્રોહી વિચારધારાને વેદમાં કોઈ સ્થાન નથી.

અથર્વવેદના ભૂમિ સૂક્તમાં ‘માતૃભૂમિ’, ‘ભારતમાતા’, ‘માં તુજે સલામ’, ‘વંદે માતરમ’ જેવી દેશદાઝની ભાવનાના મૂળ છે. દેશ ભક્તોને દેશ માટે મારી છુટવાની પ્રેરણા ભૂમિ સૂક્તમાંથી જ મળી હતી. 

સત્ય ૨૫

વેદ નિત્ય આનંદના સ્ત્રોત છે.

જીવનનું લક્ષ્ય નિત્ય આનંદને પ્રાપ્ત કરવાનું છે. આપણાં દરેક દરેક નિત્ય કર્મો કરવા પાછળનો હેતુ આનંદ પ્રાપ્તિ જ હોય છે. પણ આ ભૌતિક જગતનો આનંદ નિત્ય ન હોતા અનિત્ય એટકે કે ક્ષણિક છે. જીવન અને મૃત્યુની જેમ સુખ અને દુ:ખનું ચક્ર નિરંતર ચાલતું જ રહે છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય આ સુખ અને દુ:ખના ચક્રને (બંધનને) તોડીને નિત્ય આનંદ પ્રાપ્ત કરવાનું છે.  

જીવનમાં મનુષ્ય તેના મન, વચન અને કર્મો અનુસારનો આનંદ મેળવે છે. પણ તેના સીમિત જ્ઞાનને લીધે તેનો આનંદ પણ સીમિત થઇ જાય છે. એટલે કે તેના આનંદમાં વૃદ્ધિ થતી નથી. 

હવે બધાં જ પ્રકારના જ્ઞાનના બીજ આપણી અંદર હોવાથી, નિત્ય આનંદની પ્રાપ્તિ માટે આ જ્ઞાનનો વિકાસ કરવા, તેને વધુ અસરકારક બનાવવા, અને તેને આત્મસાત્ કરી વ્યવહારમાં ઉતારવા માટે આપણને બહારથી માર્ગદર્શન, તાલીમ અને પ્રશિક્ષણની જરૂર પડે છે. આ માર્ગદર્શન, તાલીમ અને પ્રશિક્ષણ વેદ સિવાય બીજા ગ્રંથોમાંથી મળવું શક્ય નથી.

 

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૪

સત્ય ૧૬

વેદમાં યોગ્યતાને માન્યતા છે.

વેદ મનુષ્યના જન્મને નહીં, પણ તેની યોગ્યતાને જ મહત્વ આપે છે. વેદ અનુસાર વ્યક્તિનું પદ તેના જન્મના આધારે નહીં પણ તેની યોગ્યતાના આધારે જ નક્કી થવું જોઈએ. વેદ અયોગ્ય સજ્જન વ્યક્તિનો તિરસ્કાર ન કરી તેના અધિકારોનું રક્ષણ કરવા માટે સંવેદનશીલ બની રહેવાનો પણ આદેશ આપે છે.

સત્ય ૧૭

વેદ સ્ત્રીની મહિમા ગાય છે.

મનુષ્ય આ સંસારના બધાં જ જીવોમાંનો શ્રેષ્ઠ જીવ છે. મનુષ્ય દેહ ઈશ્વરની સૌથી ઉત્તમ રચના છે. મનુષ્ય યોનીમાં પણ નારી જાતિ ઈશ્વરની ઉત્તમ રચના છે. આમ કરવા પાછળ ઈશ્વરનો અન્યાય કે પક્ષપાત નથી પણ કેટલાંક અદ્દભૂત તથ્યો છે. સ્ત્રી સમાજનું ઘડતર કરે છે. સ્ત્રી સાધારણ મનુષ્યને મહાપુરુષ બનાવે છે. સ્ત્રી સમાજનો પ્રથમ શિક્ષક છે. સ્ત્રી અત્યંત સહિષ્ણુત છે. સ્ત્રી દેશની સાંસ્કૃતિક ધરોહરને જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

શિક્ષિત સ્ત્રીઓ જ સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે. જે સમાજમાં સ્ત્રીઓને શિક્ષાથી વંચિત રાખવામાં આવે છે તે સમાજ અસહિષ્ણુત અને કટ્ટરપંથી બને છે. જો આજે અચાનક બધાં જ પુરુષો મૃત્યુ પામે તો પણ શ્રુષ્ટિ ચક્ર ચલાતું રહે. કારણ કે ઘણી સ્ત્રીઓના ગર્ભમાં હજુ પણ જીવન હશે. પણ જો અચાનક જ બધી સ્ત્રીઓ મૃત્યુ પામે તો શ્રુષ્ટિ ચક્ર અટકી જાય.

આમ, વૈદિક ધર્મનો સાચો અનુયાયી ક્યારેય સ્ત્રીનું શોષણ કરતો નથી અથવા તો પુરુષની સરખામણીમાં સ્ત્રીને તુચ્છ ગણતો નથી.

સત્ય ૧૮

વેદ સ્ત્રીને ભદ્રતા અને સોમ્યાતાનો સ્ત્રોત માને છે.

વેદ માને છે કે સ્ત્રી આ સંસારમાં ભદ્રતા અને સોમ્યતાનો સ્ત્રોત છે. વેદ પર સ્ત્રીને માતા સમાન ગણી તેને માન આપવાનો આદેશ કરે છે. કેટલાંક કટ્ટર ધર્મ સંપ્રદાયોની માન્યતા અનુસાર વેદમાં સ્ત્રી જડ પદાર્થ કે ભોગની વસ્તુ નથી. વેદ અનુસાર સ્ત્રીની ઉત્પત્તિ કાલ્પનિક આદમની પસણીઓમાંથી થઇ નથી.

વેદ ભારપૂર્વ કહે છે કે જ્યાં સુધી સ્ત્રીઓને સમાન અધિકાર અને યોગ્ય સન્માન આપવામાં નહીં આવે, અને જ્યાં સુધી સ્ત્રીઓને સમાજનું નેતૃત્વ કરવા દેવામાં નહીં આવે, ત્યાં સુધી સામાજનો ઉદ્ધાર થવો શક્ય નથી.

સત્ય ૧૯

વેદોમાં સ્ત્રીઓના પોષાકના સખત કાયદાઓ નથી.

વેદ અનુસાર સ્ત્રીઓએ હંમેશા ઘરમાં ગોધાય રહેવાની કે માથાથી લઈને પગ સુધી બુરખામાં ઢંકાઈ રહી વિટામીન-ડીની ઉણપથી પીડાવાની કોઈ જરૂર નથી.

વેદમાં સ્ત્રીઓ તેની પસંદગીના સભ્ય અને આરામદાયક વસ્ત્રો પહેરવાની સપૂર્ણ છુટ છે. આ માટે સ્ત્રીઓએ ધર્મના ઠેકેદારો પાસેથી અનુમતિ લેવાની કોઈ જરૂર નથી.

સત્ય ૨૦

વેદમાં કયામતનો દિવસ કે નર્ક નથી.

વેદ સ્વર્ગ, નર્ક, આદમ, ઈવ, દેવદૂતો, કયામતનો દિવસ, પૈગંબર, ભૂત અથવા શેતાનમાં માનવા કહેતા નથી.

‘સ્વર્ગ અને નર્ક’ અહીં આ સંસારમાં જ છે. જયારે સત્કર્મો કર્યા બાદ આપણને જે શુખ, શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે તેનું નામ જ સ્વર્ગ. જ્યારે પાપકર્મો કરવાથી આપણને દુઃખ, શકો, અને ભયની અનુભૂતિ થાય છે તેનું નામ જ નર્ક. આમ સ્વર્ગ અને નર્ક આકાશમાં નહીં, પર આ પૃથ્વી પર જ છે.

‘આદમ અને ઈવ’ બીજું કોઈ નથી પણ સામાન્ય સ્ત્રી અને પુરુષ છે. દરેક સ્ત્રીએ એક પતિવ્રતા અને પુરુષે એક પત્નીવ્રતા હોવું જોઈએ.

જે સમાજના ઉત્થાન માટે નિશ્વાર્થ ભાવે કર્મ કરે છે તે ‘એન્જલ કે ફરિશ્તો’ છે. આમ સમાજના રક્ષણ અને ઉત્થાન માટે જીવન સમર્પિત કરનારા બધાં જ વૈજ્ઞાનિકો, સમાજસેવકો, સ્વતંત્રતા સેનાનીઓ, શિક્ષકો, સાચા અર્થમાં એન્જલ્સ કે ફરિશ્તાઓ છે. આવા એન્જલ્સ કે ફરિશ્તાઓ આકાશમાં ઉડતા નથી પણ સમાજમાં રહી વાસ્તવિકતાનો સામનો કરે છે. 

‘કયામતનો દિવસ’ એટલે જીવનની એ પ્રત્યેક ક્ષણ કે જે ક્ષણે આપણે સત્કર્મ કે પાપકર્મ કરવાનો નિર્ણય લેવાનો હોય. આ નિર્ણાયક ઘડી એટલે જ કયામતની ક્ષણ. આ નિર્ણય જ આપણું ભાગ્ય અને ભવિષ્ય નક્કી કરે છે. કયામતનો દિવસનો ઈશ્વરના કેલેન્ડરનો કોઈ એક ખાસ દિવસ નથી કે જે દિવસે બધાં જ મૃતકો કબરમાંથી ઊભા થશે અને ઈશ્વરના આદેશ અનુસાર સ્વર્ગ કે નર્કમાં જવા લાઈન લગાડશે. વૈદિક ઈશ્વરને આવું નાટક કરવાની કોઈ જરૂર નથી.

પોતાની અંતરઆત્મા જ ‘પૈગંબર અને પ્રોફેટ’ છે. જ્યારે આપણે સત્કામો કરવાનો સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણે આપણી સફળતાનો માર્ગ સુનિશ્ચિત કરીએ છીએ. આમ આપણે યોગ્ય સંકલ્પ દ્વારા આપણું ઉજ્જવળ ભવિષ્ય ભાખીને સાચા અર્થમાં પ્રોફેટ બનીએ છીએ. આમ પ્રોફેટ આપણી અંદર જ છે અને નહીં કે બહારની દુનિયામાં.

‘ભૂત’ એટલે ભૂતકાળની કડવી સ્મૃતિઓ કે જે વર્તમાનમાં આપણાં કર્તવ્ય પાલનના માર્ગમાં અવરોધ પેદા કરે છે. આવી આત્મઘાતી સ્મૃતિને ભુલાવી દઈ જીવનપથ પર આગળ વધતા રહેવું જોઈએ.

‘શૈતાન’ એટલે આપણામાં રહેલી અસુરવૃત્તિ. આપણે આ અસુરવૃત્તિઓને મારી આપણી અંદર રહેલા શૈતાન પર વિજય મેળવવો જોઈએ. પ્રોફેટની જેમ શૈતાન પણ આપણી અંદર જ છે અને નહીં કે બહારની દુનિયામાં.

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૩

સત્ય ૧૧

વૈદિક ઈશ્વર આકાશમાં બિરાજમાન નથી.

વૈદિક ઈશ્વર ચોથા કે સાતમાં આકાશમાં કોઈ સિંહાસન પર બિરાજમાન નથી. વેદમાં પૃથ્વી ગોળ હોવાથી અને વૈદિક ઈશ્વર સર્વવ્યાપી હોવાથી ચોથા કે સાતમાં આકાશ જેવી અતાર્કિક અને અવૈજ્ઞાનિક વાતોને વેદમાં કોઈ સ્થાન નથી.

આનાથી ઉલટું, વૈદિક ઈશ્વર દરેક જીવાત્માનો પ્રેરણાસ્ત્રોત અને શક્તિપ્રદાતા છે. વૈદિક ઈશ્વર એ સુનિશ્ચિત કરે છે કે દરેજ જીવાત્મા આ ભૌતિક જગતમાં અપરિવર્તનશીલ નિયમો અનુસાર કર્મ કરે. વૈદિક ઈશ્વર કોઈ તાનાશાહ કે ધર્મઝનૂની નથી. વૈદિક ઈશ્વર જીવાત્માની પ્રાર્થના અનુસાર તેના અપરિવર્તનશીલ નિયમોમાં ક્યારેય કોઈ ફેરફાર કરતો નથી. વૈદિક ઈશ્વર ક્યારેય કોઈ પક્ષપાત કરતો નથી. વૈદિક ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેનો કોઈ દેવદૂત નથી. વૈદિક ઈશ્વર કદી સ્વર્ગ કે નર્કનું નિર્માણ કરતો નથી. વૈદિક ઈશ્વર અવિકારી, અપરિવર્તનશીલ, અમર, અજન્મા, અને નિરાકાર છે.

હકીકતમાં, વૈદિક ઈશ્વર અલ્લાહ કે જિજસથી તદ્દન ભિન્ન છે. આ ત્રણેને એક માની બેસવું એ સૌથી મોટી ભુલ અને ભ્રાંતિનું કારણ છે.

સત્ય ૧૨

વેદમાં ઈશ્વર પ્રાર્થના એ કર્મકાંડની વિધિઓ નથી.

વેદ ઈશ્વરની ઉપાસના કરવાના મૂળભૂત સિદ્ધાંતો અને તર્કપૂર્ણ માળખું આપે છે. વેદમાં મૂર્તિપૂજાનો ઉલ્લેખ નથી. પણ વેદમાં મૂર્તિપૂજકો પ્રત્યે દ્વેષ પણ નથી.

વેદમાં કર્મકાંડનો નહીં, પણ યોગિક પદ્ધતિથી ઈશ્વરની ઉપાસના કરવાનો ઉલ્લેખ છે. યોગિક ઉપાસના પદ્ધતિ તન, મન અને આત્મા માટે એક ટોનિક તરીકેનું કામ કરે છે. ઈશ્વરની યોગિક પદ્ધતિથી ઉપાસના એ સ્વયમને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ અને પ્રકૃતિના અપરિવર્તનશીલ નિયમો સાથે એકલય કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઈશ્વરની ઉપાસનાની આ યોગિક પદ્ધતિ આપણાં આનંદ અને મનોબળમાં અનેક ઘણી વૃદ્ધિ કરે છે.

વૈદિક પ્રાર્થનાના કેટલાંક ઉદાહરણો:

  • હે ઈશ્વર! તું અમોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જા.
  • હું જીવનની દરેક ક્ષણે સત્ય અને માત્ર સત્યનું પાલન કરવાનો સંકલ્પ કરું.
  • સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે નિરંતર પ્રયત્નો કરતા રહેવા માટે મને જ્ઞાન, શક્તિ અને સમર્થ પ્રદાન કર.
  • ગાયત્રી મંત્ર – હે પ્રેમાળ ઈશ્વર! તારા નિશ્વાર્થ પ્રેમ, અસીમ કૃપા અને કરુણાનો બદલો અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. આથી – તારા દ્વારા અપાયેલી આ બુદ્ધિને હું તારા તરફ જ વળવાનો સંકલ્પ કરું છું.
  • શુદ્ધિ મંત્ર – હું મારા મનમાંથી બધાં જ પ્રકારના નકારાત્મક વિચારો અને ભાવનાઓ, તિરસ્કાર, દ્વેષ, લાચારી, વાસનાઓ અને લાલચને દુર કરી સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરું છું. સમાજની સેવા કરતી વખતે હું કોઈની સાથે તેની ધાર્મિક માન્યતાઓ, સત્તા, સામાજિક સ્તર, કે જાતિના આધારે પક્ષપાત ન કરું. મારું જીવન શુદ્ધ બુદ્ધિ અને વિશિદ્ધ મન સાથે વિશ્વ કલ્યાણ માટે સમર્પિત રહે. આમ છતાં જો મારા મનમાં ભૂલથી પણ ક્યારેય કોઈ સજ્જન પ્રેત્યે દ્વેષભાવ જાગે તો હું તે માટે ક્ષમા માંગી આવી ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ કરું છું.

સત્ય ૧૩

 વેદમાં “વસુધૈવ કુટુંબકમ”

એક બાજુ ધર્મ સંપ્રદાયો માનવજાતિને ઊંચ-નીચ, નાત-જાત, આસ્તિક-નાસ્તિક વગેરેના આધારે તોડવાનું કામ કરે છે, જે અંતે નિરંતર ચાલતા સંધર્ષો અને યુદ્ધોનું મુખ્ય કારણ બને છે. જ્યારે બીજું બાજુ વેદ એક અને માત્ર એક સર્વવ્યાપી ઈશ્વરની છત્રછાયામાં સમગ્ર માનવજાતિને જોડાવાનું કામ કરે છે.

વેદ મનુષ્યને પક્ષપાત અને ભેદભાવોથી ઉપર ઉઠી સમગ્ર માનવજાતિને પોતાનું કુટુંબ માનવાની પ્રેરણાં આપે છે. વેદ સિવાય અન્ય કોઈપણ ધર્મગ્રંથમાં આવી વિશ્વ બંધુત્વની ભાવના જોવા મળતી નથી. વેદોએ વસુધૈવ કુટુંબક્મનું સુત્ર આપ્યું છે જેનો અર્થ “આખું વિશ્વ મારો પરિવાર છે” એવો થાય છે.

જો વેદ અનુસારની આવી વિશ્વ બંધુત્વની ભાવના અનુસાર આપણે જીવન જીવીએ તો આ વિશ્વના તમામ સંઘર્ષો, યુદ્ધો અને દુષ્કર્મોનો અંત આવે.

સત્ય ૧૪

વેદ પ્રકૃતિના સંરક્ષણનું મહત્વ સમજાવે છે.

વેદ મનુષ્યોને અન્ય જીવોની સાથે સાથે, પ્રકૃતિને પ્રેમ કરવાનો અને દયાભાવ રાખી તેનું સંરક્ષણ કરવાનો ઉપદેશ આપે છે. વેદ અનુસાર મનુષ્યોએ પ્રકૃતિ સાથે નિરંતર આદાન-પ્રદાન કરતા રહેવું જોઈએ. એટલે કે મનુષ્ય પોતાના જીવન નિર્વાહ માટે જેટલું પ્રકૃતિ પાસેથી લે, તેટલું તેણે પ્રકૃતિને પાછું આપવું જોઈએ.

આ જગતમાં આપણી ઉપસ્થિતિ માત્રથી પ્રકૃતિ પ્રદુષિત થાય છે. પ્રગતિ અને વિકાસના નામે આપણે પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોચાડ્યું છે. આથી વેદ અનુસાર પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ આપણું પરમ કર્તવ્ય છે. કારણ કે પર્યાવરણ બચશે તો જ આપણે બચીશું. આમ, વેદો ‘હરિયાળી ક્રાંતિ’ અને ‘પર્યાવરણ બચાવો અભિયાન’ના પ્રખર હિમાયતી અને સૌ પ્રથમ પ્રચારક છે.

સત્ય ૧૫

વેદ પર દરેક જાતિનો અધિકાર છે.

વેદ પર બધી જ જાતિના લોકોનો જન્મસિદ્ધ અધિકાર છે. શુદ્રોને પણ વેદોનું અધ્યયન કરવાનો હક છે. વેદમાં જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થા કે પક્ષપાતને કોઈ સ્થાન નથી. વેદ પર એવો આરોપ મુકવામાં આવ્યો છે કે વેદમાં શૂદ્રોને વેદનું અધ્યયન કરવા પર પ્રતિબંધ છે. પણ આમાં સત્યનો એક છાટો પણ નથી. જે ‘શિક્ષાથી વંચિત’ રહે છે તે ‘શુદ્ર’ કહેવાય છે.

આમ જે અશિક્ષિત હોય છે તેણે સ્વાભવિક રીતે વેદોનું અધ્યયન પણ કર્યું ન હોય. પણ વેદનું અધ્યયન કરી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તે શુદ્ર રહેતો નથી. કુળ કે વંશ ભલે ને ગમે તે હોય પણ દરેક વ્યક્તિને વેદનું અધ્યયન કરવાનો અને બીજાને વેદોની શિક્ષા આપવાનો અધિકાર છે.  

જન્મથી આપણે બધાં જ શુદ્ર (અજ્ઞાની અને અશિક્ષિત) છે. વેદમાં જન્મ પર આધારિત પક્ષપાત કે ભેદભાવને કોઈ સ્થાન નથી.

To read the full chapter proudly own this book : [mybooktable book=”/essence-of-vedas_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

 

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૨

સત્ય ૬

વેદ સાચા અર્થમાં વ્યાપક છે.

વૈદિક મંત્રોનું અર્થઘટન કયા સંદર્ભમાં કરવામાં આવે છે તે અનુસાર દરેક વેદ મંત્રના અનેક અર્થ નીકળી શકે છે. આમ, વેદમાં દરેક પ્રકારનું જ્ઞાન સમાવિષ્ટ છે. વેદ મંત્રના દરેક શબ્દનું અર્થઘટન તેની “મૂળ ધાતુ” અનુસાર જ થવું જોઈએ, અને નહીં કે નિત્ય ક્રમમાં કરવામાં આવતા સર્વ સામાન્ય અર્થથી. જો આમ કરવામાં ન આવે તો અર્થનું અનર્થ થઇ જાય છે.

ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં ‘ગો’ ધાતુનો વાસ્તવિક અર્થ છે ‘ગતિમાન’. પણ કેટલાંક મુર્ખાઓ બધાં જ વેદમંત્રોમાં ‘ગો’ ધાતુનો અર્થ ‘ગાય’ કરી મંત્રોના ખોટા અર્થ કરે છે.

વેદમાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, પણ શ્રેષ્ઠ જીવન જીવવા માટેનું જ્ઞાન, આરોગ્ય અને ઔષધિઓ સંબંધી જ્ઞાન, કુટુંબ અને સમાજનું જ્ઞાન, અર્થશાસ્ત્ર અને ગણિતનું જ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું જ્ઞાન, એમ બધાં જ વિષયો પરનું જ્ઞાન સમાવિષ્ટ છે. વર્ષો પ્રયાસ કર્યા બાદ હું હજુ પણ એ વિષયની શોધમાં છે કે જેને વેદમાં આવરી લેવામાં આવ્યો ન હોય.

વેદમાં બધાં જ પ્રકારનું જ્ઞાન – ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર, ગણિત, ઈજનેરી વિદ્યા – તેના મૂળભૂત સ્વરૂપમાં છે.

વેદમાં જહાજ અને વિમાન બનાવવાની રીતો પણ છે. વેદમાં ગણિતની દશાંશ પધ્ધતિ પણ છે. વેદમાં ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતશક્તિનું જ્ઞાન પણ છે.

  • ઋગ્વેદમાં ભૌતિક અને આધ્યાત્મિક વિષયોનું જ્ઞાન છે
  • યજુર્વેદમાં મનુષ્યના યોગ્ય કર્મોનું જ્ઞાન છે.
  • સામવેદ ભક્તિ અને ઈશ્વર ચિંતનનો વિષય છે.
  • અથર્વવેદમાં આ ત્રણેય વેદોના અમૂલ્ય જ્ઞાનને વ્યવહારમાં ઉતારવાની – જ્ઞાન, કર્મ અને ચિંતન – પદ્ધતિનું જ્ઞાન છે.

સત્ય ૭

વેદમાં તર્ક અને વિજ્ઞાન વિરુદ્ધ કાઈ જ નથી.

વેદ શ્રેષ્ઠત્તમ આધ્યાત્મિક જ્ઞાનનો જ નહીં, પણ ભૌતિક તત્વજ્ઞાનનો પણ ભંડાર છે.

મધ્યયુગમાં લખાયેલાં ઘણાં ધાર્મિક ગ્રંથોથી વિપરીત, વેદમાં પૃથ્વી સપાટ નથી પણ ગોળ છે. વેદમાં પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. વેદ અનુસાર ચુંબકીય ધ્રુવોની વચ્ચે ધાતુનો તાર ફેરવવાથી વિદ્યુત શક્તિ પેદા થાય છે. ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતબળો “ઇન્વર્સ સ્ક્વેર લો” અનુસરે છે. વેદમાં ગ્રહોના વલયો લંબગોળ છે. વેદ અનુસાર બાઈનરી લોજીકથી અત્યાધુનિક ગણતરીની નવી રીતો વિકસાવી શકાય છે.

આયુર્વેદ અને ધનુર્વેદ જેવા ઉપવેદોમાં અનુક્રમે ચિકિત્સા શાસ્ત્ર અને યુદ્ધ શાસ્ત્ર વિષે જ્ઞાન આપવામાં છે.

વેદથી મોટું વૈજ્ઞાનિક પુસ્તકાલય હજુ સુધી મને મળ્યું નથી.

ઘણાં ધર્મ સંપ્રદાયો આવા વૈજ્ઞાનિક અભિગમને ઈશ્વર-નિંદા માને છે. આ ધર્મ સંપ્રદાયોમાં તેમના ઈશ્વર, ધર્મગ્રંથ કે દેવદૂત સામે તર્કપૂર્ણ અને વૈજ્ઞાનિક પ્રશ્નો પૂછનારને સખત દંડ આપવામાં આવે છે.

વેદમાં સાચી ધર્મનિંદા અને ઈશ્વરનિંદાને ખુલ્લી છુટ છે. વેદ કહે છે કે મુક્ત ચિંતન, અને વૈજ્ઞાનિક અને તર્કપૂર્ણ અભિગમ રાખનાર ઈશ્વરની વધુ નજીક હોય છે.

સત્ય ૮

“વૈદિક સંસ્કૃત” વેદ સંહિતાની ભાષા છે.

વેદ સંહિતાઓ વ્યવહારિક અને લૌકિક સંસ્કૃતમાં નહીં, પણ વૈદિક સંસ્કૃતમાં લખાયેલી છે. વૈદિક સંસ્કૃત આ સંસારની બધી ભાષાઓનોની જનની છે. વેદનું અધ્યયન કરવા અને તેનું સાચું અર્થઘટન કરવા માટે વૈદિક સંસ્કૃતનું યથાયોગ્ય જ્ઞાન હોવું ઘણું આવશ્યક છે.

સત્ય ૯

 વેદ મંત્રોની ગોખણપટ્ટી વ્યર્થ છે.

મંત્રોના અર્થને સમજ્યા વગર તેની ગોખણપટ્ટી કરવી વ્યર્થ છે. વેદના જ્ઞાનને મન, વચન અને કર્મમાં આત્મસાત્ કરવાથી જ વેદનો ખરો અભ્યાસ કર્યો ગણાય.

વેદનું જ્ઞાન અસીમિત છે. દરેક મંત્ર પર મંત્રના અર્થ અને મંત્રમાં છુપાયેલા જ્ઞાનના ઘણાં આવરણો હોય છે. આથી આ આવરણોને તોડી મંત્રોના અર્થમાં ઊંડા ઉતરવાની પ્રક્રિયા આજીવન નિરંતર ચાલતી રહે છે. આ આખી પ્રક્રિયા અત્યંત સુખદાયી હોય છે.

પણ આ પ્રક્રિયા સુખદાયી બને તે માટે વેદ અધ્યયનમાં તલ્લીન થઇ જવું પડે. મંત્રોની ગોખણપટ્ટી કરવાથી વેદ મંત્રોની અનુભૂતિનું સુખ મળતું નથી. ભારતમાં વેદ મંત્રોની ગોખણપટ્ટી કરનારા, વેદ પર વ્યાખ્યાન અને પ્રવચન આપનારા ઘણાં તથાકથિત વેદ વિદ્ધવાનો છે. આવા વિદ્ધવાનોને ભલે માન અને ખ્યાતી મળતી હોય, પણ તેમની વિદ્યા પર ખોટા અહંકારના આવરણો ચઢેલાં હોય છે આથી તેઓ પોતે જ પોતાનો આનંદ પ્રાપ્તિ અને આનંદ વૃદ્ધિનો માર્ગ અવરોધતા હોય છે.

સત્ય ૧૦

પશ્ચિમી વિદ્વાનોના વેદ ભાષ્યો વિકૃત છે.

આધુનિક ભાષાના પ્રયોગથી વેદ મંત્રોનું સાચું અર્થઘટન કરવું શક્ય નથી. આ માટે ગહન ચિંતન, ઊંડું આત્મનિરીક્ષણ, મનની શુદ્ધતા અને યોગિક દિનચર્યા આવશ્યક છે. આમ ન થવાથી વેદ મંત્રોના અર્થનું અનર્થ જ થશે. આવું અનર્થ કરનારાઓમાં આજના સમયના માંસભક્ષી, વ્યાભિચારી, ભોગી-વિલાસી, અહંકારી અને સ્વઘોષિત વેદ વિદ્વાનોનો સૌથી મોટો ફાળો છે.

મેક્સ મૂલર, વિલ્સન, ગ્રીફીથ, જ્હોન વગેરે જેવા તથાકથિત પશ્ચિમી વિદ્વાનોના વેદ ભાષ્યો એકદમ બકવાસ અને વિકૃત છે. આવા તથાકથિત વિદ્વાનોએ જ વેદના અતાર્કિક, અસહજ અને વિસંગત ભાષ્યો રચ્યાં છે.

વેદનું અધ્યયન કરવા માટે આવા ભાષ્યોનો ઉપયોગ કરતા પહેલાં ચેતવું જોઈએ.

To read the full chapter proudly own this book : [mybooktable book=”/essence-of-vedas_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]