રામ કોઠારી (ઉંમર ૨૨ વર્ષ ) અને શરદ કોઠારી (ઉંમર ૨૦ વર્ષ ) આ બંને વર્ષ ૧૯૯૦ માં કાર સેવકો હતા. જ્યારે આર.એસ.એસ. અને બી.જે.પી નેતોઓને તેમને કાર સેવામાં બંદુકની ગોળી ખાવા માટે આગળ ધર્યા, ત્યારે આ બે યુવકોને કોઈએ એવું કહ્યું ન હતું કે રામ મંદિર ત્યારે જ બનશે કે જ્યારે બી.જે.પી ને સંસદમાં ૩૭૦ સીટ મળશે.
મને હજુ પણ યાદ છે બાજપેયી, અડવાણી, અને મોદી જેવા નેતાઓ કાલી ક્રિષ્ના ટાગોરની ગલીઓમાં અર્થપૂર્ણ રીતે લોકોને એ વિશ્વાસ અપાવતા હતા કે રામ મંદિર બનાવવા માટે અમે જે કાઈ પણ થઇ શકશે તે બધું જ કરીશું. લગભગ એવી જ રીતે કે : “તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે રામ મંદિર દુંગા”
આ એ કાર સેવકો છે કે જેમના બલિદાને બાજપેયી, અડવાણી, મોદી અને બીજા ઘણાં આર.એસ.એસ. અને બી.જે.પી નેતોનું રાજકીય કેરિયર બનાવ્યું હતું. અયોધ્યામાં મુલાયમ સિંહનાં આદેશથી આ કર સેવકોને ૨/૧૧/૧૯૯૦ નાં રોજ ગોળી મારી દેવામાં આવી હતી. ત્યારે ભાજપના નેતાઓએ કહ્યું હતું તે તેઓ આનો બદલો લેશે. ભાજપના નેતાઓએ મુલાયમને કાતિલ કહ્યો હતો. ભાજપના નેતાઓ રામ શરદ કોઠારી જેવા અનેક નિર્દોષોને શહીદ તરીકે અભિવાદન આપી સત્તામાં આવ્યા.
પણ આજે:
આજે મોદી મુલાયમના છોકરાઓના લગ્નમાં ઉપસ્થિત રહે છે. રામ શરદ કોઠારી જેવા અનેક શહીદોના નામ પણ કોઈ બોલતું નથી. આ શહીદો પર “મન કી બાત” નો એક પણ પ્રોગ્રામ થયો નથી. તેમેની યાદમાં કોઈ સ્ટેમ્પ ઇસ્યુ થયા નથી. તેમની યાદમાં એક પણ રોડ બન્યો નથી.
૨૮૨ સીટો મેળવી બી.જે.પીનું બહુમતીથી સત્તામાં આવવું કે કોઈ રાજકીય “માસ્ટરસ્ટ્રોક” નથી. બી.જે.પી ની સત્તારૂપી મહેલની નીવ તો રામ કોઠારી અને શરદ કોઠારી જેવા અનેક કાર સેવકોના બલિદાન પર રોપાયેલી છે.
બી.જે.પી આવા શહીદોને વટાવી ન શકાય તેવો આઉટડેટેડ ચેકમાની ભૂલી ગઈ હશે. પણ અમે રાજનેતાઓને શહીદોનો મજાક ઉડવા નહિ દઈએ!
પોલીટીકલ કરેક્ટનેસ નો સમય હવે પૂરો!
English Version of this article: UNFORGIVABLE! Mockery of Martyrs in name of masterstrokes