જેણે સ્વયંના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમ રાખેલ છે તે છે “યોગી”.
યોગી સ્વયંના મન અને ઇન્દ્રિયો પરના સંયમનો ઉપયોગ જીવનમાં યથાર્થ સુખ અને સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરવા માટે કરે છે.
મન, વચન અને કર્મથી તથા સાર્વજનિક અને વ્યક્તિગત જીવનમાં યોગીનું આચરણ વેદાનુકુલ આદર્શ મહાપુરુષો જેવું હોવું જોઈએ.
મૂળભૂત સિદ્ધાંતો:
૧. યોગી માટે પ્રાતઃકાળમાં ધ્યાન અને વ્યાયામ અત્યંત અનિવાર્ય. આસન લગાવીને (સીધા ટટ્ટાર થઈને) શરીરને સુખદાયક સ્થિતિમાં લાવી બેસવું, એ ધ્યાન કરવા માટેની ઉત્તમ મુદ્રા.
૨. સંધ્યા સમયે પણ ધ્યાન અને વ્યાયામ માટે સમયની ફાળવણી.
૩. સમયાંતરે સ્વયંને પ્રશ્ન પૂછાતા રહેવું કે “શું મારા વર્તન, વિચાર અને વાણીમાં એક આદર્શ યોગીના વર્તન, વિચાર અને વાણીની છબી જોવા મળે છે?”
૪. સંપૂર્ણ સાત્વિક આહાર
૫. ઈન્દ્રીઓ પર સંપૂર્ણ નિયંત્રણ
૬. મન પર નિયંત્રણ અતિ આવશ્યક
૭. તિતિક્ષા – હાની-લાભ, જાય-પરાજય, નિંદા-સ્તુતિ વગેરે પરિસ્થિતિઓમાં શાંત અને સ્થિર મન
સમત્વં યોગ ઉચ્યતે – ગીતા
૮. મુમુક્ષુત્વ – શ્વાસ લેવા માટે પાણીમાં ડૂબતો વ્યક્તિ જેટલી હદે આતુર હોય તેટલી જ હદે યોગી બનવા માટેની આતુરતા
૯. પ્રત્યેક ક્ષણે ઈશ્વર પ્રતિ કૃતજ્ઞભાવ
Original post in English is available at http://agniveer.com/diary-of-a-yogi-random-page-3/
[…] This article is also available in Gujarati at http://agniveer.com/diary-of-a-yogi-random-page-3-gu/ […]