- ધ્યાન – જીવનનું અદ્દભૂત વ્યસન
- ગાયત્રી મંત્ર સાથે જીવન પરિવર્તન
- ઓમ્ – માનવતાની અમુલ્ય ભેટ
- આ ક્ષણની શક્તિ
- ઇશોપનિષદ મંત્ર ૩ – શોક અને દુઃખ દુર કરવાનો એક માત્ર રસ્તો
- ઇશોપનિષદ મંત્ર ૨ – યોગ્ય કર્મો – આનંદ અને સફળતાનો એકમાત્ર ઉપાય
- ઇશોપનિષદ મંત્ર ૧ – મોહ ત્યાગ – જીવનનું મૂળ તત્વ
- આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!
- સાચા જ્ઞાનની પ્રાપ્તિ
- બહુપરિમાણીય જ્ઞાન
- જીવન એટલે વિકાસ
- સત્ય = આનંદ
જ્ઞાન બહુ-પરિમાણીય છે. જ્ઞાનના વિસ્તાર અને ઊંડાણની કોઈ સીમા નથી. દરેક મનુષ્ય દરેક ક્ષણે કાઈ કે કાઈ શીખતો જ હોય છે. આતંવાદીઓ, ચોર, ડાકુઓ, લુટારાઓ અને બળાત્કારીઓ પણ કાઈ ને કાઈ શીખતા જ રહે છે. જ્યાં સુધી આપણી જ્ઞાન અને કર્મ ઇન્દ્રિયો સક્રિય છે અને મસ્તિષ્ક ક્રિયાશીલ છે ત્યાં સુધી જ્ઞાન ગ્રહણ કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતી દરેકે દરેક માહિતી એક નવું જ્ઞાન છે. જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું અને સતત નવી વસ્તુઓ શીખતા રહેવું એ જીવનનો સહજ ભાગ છે. તો શું એનો અર્થ એ થાય કે આનંદનું સ્તર વધારવા માટે આપણે જે મળે તે બહું જ શીખી લેવું જોઈએ અને દરેકે દરેક વિષય વસ્તુઓનો અભ્યાસ કરતા રહેવું જોઈએ?
સાચા જ્ઞાનની પસંદગી
આ પ્રશ્નો જવાબ છે હા અને ના. જો મનમાં નવી વસ્તુઓ શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હોય તો જ્ઞાન ગમે તેવું હોય, તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા હંમેશા આનંદ જ આપે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા જેટલી વધુ અને પ્રબળ, તેટલો જ વધુ આનંદ. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણાં જીવનનો મૂળ ઉદ્દેશ્ય તો પરમ આનંદને પ્રાપ્ત કરવાનો છે. એટલે કે મોક્ષ મેળવવાનો છે. આથી જો મેળવેલું જ્ઞાન આપણને પરમ આનંદ તરફ ન લઈ જતું હોય તો આપણે આપણો અમુલ્ય સમય વેડફી રહ્યાં છીએ તેમ માનવું. જીવનમાં કોઈપણ પ્રકારની વ્યર્થતા કે સમયની બરબાદી અંતે તો દુ:ખને જ નોતરે છે. સરળ ભાષામાં કહીએ તો બધાં જ પ્રકારનું જ્ઞાન અને જ્ઞાન મેળવવાની બધી જ પ્રક્રિયાઓ આપણને પરમ આનંદ તરફ લઇ જતી નથી.
આ ઓગણીસમી સદીમાં રમાતી “પ્રિન્સ ઓફ પેર્સિયા”ની રમત જેવું છે. જેમાં રાજકુમાર ભૂલભુલૈયામાં ફસાયેલો હોય છે અને તેણે માત્ર ૩૦ જ મીનીટમાં ભૂલભુલૈયાના અલગ-અલગ સ્તરોમાંથી બહાર આવી રાજકુમારીનું અપહરણ કરી ગયેલા વઝીરને હરાવવાનો છે. જોવા જઈએ તો આ રમતમાં રાજકુમારને બધાં જ સિપાઈઓ સાથે લડાઈ કરીને તેમને હરાવવામાં મઝા આવી શકે છે. કુદકા મારવામાં, દીવાલો તોડવામાં, અને આમ તેમ કારણ વગર ભટકવામાં મજા આવી શકે છે. પણ રાજકુમાર પાસે સમય માર્યાદિત છે. આથી અહીં રાજકુમારે પોતાની બુદ્ધિનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને, ઓછામાં ઓછો સમય ખર્ચ કરીને, કુશળતાપૂર્વક માત્ર એવા જ સિપાઈઓને હરાવવાના હોય અને એવો જ રસ્તો પકડવો હોય કે જે રાજકુમારીને ૩૦ મીનીટની અંદર છોડાવી શકે. આ રમત અને આપણે જે વાસ્તવિક જીવનરૂપી રમત રમી રહ્યાં છીએ તેમાં ઘણી સમાનતા છે. જીવનમાં આપણી પાસે પણ માર્યાદિત સમય છે. આથી આપણે પણ એવો રસ્તો પસંદ કરવો જોઈએ, એવું જ્ઞાન મેળવવું જોઈએ અને એવા કર્મો કરવા જોઈએ કે જે ઝડપથી આપણને જીવન લક્ષ્ય – પરમ આનંદ એટલે કે મોક્ષ – તરફ લઇ જાય. બીજા શબ્દોમાં કહીએ તો, રમત હોય કે જીવન, લક્ષ્ય અને સમયને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાના હોય.
જીવનની આ રમત કેવી રીતે રમવી અને અને કેવી રીતે જીતવી એનું પૂરું માર્ગદર્શન વેદ આપે છે. જેમ જેમ આપણે મૂળભૂત સિદ્ધાંતોની વધારેને વધારે સમજ કેળવતા જઈશું તેમ તેમ આપણાં જીવનની દિશા વધુ સ્પષ્ટ બનશે. સંક્ષેપમાં કહી શકાય કે – આપણને બધાંને આ મૂળભૂત સિદ્ધાંતો અને પ્રશ્નોના જવાબ જાણવા માટેનું ખાસ પ્રકારનું કુતુહલ છે. વિજ્ઞાન, ધર્મ, તત્વજ્ઞાન કે ફિલસૂફીઓ – આ બધાં જ આ મૂળ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. પણ આમાંથી કોઈ આ પ્રશ્નોનો યોગ્ય અને સંતોષકારક જવાબો આપી શકતા નથી. વેદો આ મૂળ પ્રશ્નોના જવાબ શોધવા માટેનું તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું તૈયાર કરી આપણાં અભ્યાસ, અધ્યયન અને શોધ માટેનો રસ્તો ખુલ્લો કરે છે.
મૂળ પ્રશ્નો અને જીવનનો ઉદ્દેશ્ય
વૈદિક સાર સ્પષ્ટ છે – મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવા એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. અને જે ક્ષણે આ જવાબોની અનુભૂતી થવા માંડે તે ક્ષણેથી પરમ આનંદની પણ અનુભૂતિ થવા માંડે છે.
મૂળ પ્રશ્ન એક જ છે.
બાકીના પ્રશ્નો તો આ મૂળ પ્રશ્નના અલગ-અલગ આયામ જ છે. આ પ્રશ્નોના જવાબ મેળવવાની પ્રક્રિયા જ આપણાં જ્ઞાન પ્રાપ્તિની દિશા નક્કી કરે છે. જે કાંઈ જ્ઞાન કે કર્મો આપણને આ પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ બની રહે છે તે બધું આપણને પરમ આનંદ (લક્ષ્ય) તરફ લઇ જાય છે. બાકીનું બધું અમૂલ્ય સમયની બરબાદી છે અને અંતે તો દુઃખને જ નોતરે છે.
મૂળ પ્રશ્ન છે:
હું કોણ છું?
આ મૂળ પ્રશ્નને સંલગ્ન બીજા પ્રશ્નો છે:
હું ક્યાંથી આવ્યો છું?
હું ક્યા જવાનો છું?
મારા જીવનનો ઉદ્દેશ્ય શો છે?
આ મૂળભૂત પ્રશ્નોના જવાબ મળ્યાં બાદ અને તેની અનુભૂતિ થયા પછી જ નિત્ય આનંદની અનુભૂતિ થશે!
To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]
[…] ભાગ ૫ – ત્રીજો સિદ્ધાંત June 19, 2016 at 10:19 pm […]