UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

જીવન એટલે વિકાસ

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

આપણે પહેલાં પ્રકરણમાં જોયું કે વૈદિક તત્વજ્ઞાનનો પહેલો સિદ્ધાંત છે “સત્ય = આનંદ.” આપણે એ પણ જોયું કે જીવાત્માનો સહજ સ્વભાવ છે “સત્યની શોધ”. હવે આ પ્રકરણમાં આપણે વૈદિક તત્વજ્ઞાનનો બીજો મૂળભૂત સિદ્ધાંત, “જીવન એટલે વૃદ્ધિ અને પ્રગતિ”, પર ચર્ચા કરીશું. જ્યાં સુધી આપણે જીવનશક્તિ સાથે સુમેળ રાખી કાર્યો કરીએ છીએ ત્યાં સુધી આપણો વિકાસ થતો રહે છે. “સર્વાંગી વિકાસનું નામ જ જીવન. વિકાસ રૂંધાવાનું નામ જ મૃત્ય.”

પહેલાં સિદ્ધાંત “સત્ય = આનંદ” ને બીજા સિદ્ધાંત “જીવન એટલે વૃદ્ધિ અને પ્રગતિ” સાથે જોડીને જોવાથી ખ્યાલ આવી જશે કે “સત્યના માર્ગ પર ચાલી જીવવાનો સર્વાંગી વિકાસ કરવાથી જ આપણાં આનંદમાં સતત વૃદ્ધિ થતી રહે છે.” આપણને એ પણ ખ્યાલ આવી જશે કે જયારે જાણતા કે અજાણતા આપણે આપણાં જ્ઞાનના સ્તરને નીચું લાવીએ છીએ અને આપણી સમજને ક્ષીણ કરીએ છીએ ત્યારે આપણાં આનંદનું સ્તર પણ નીચું જાય છે.

આમ કરવાથી ધીરે ધીરે આપણે આનંદમાં વૃદ્ધિ કરવાની તક ગુમાવતા જઈએ છીએ. આપણે અજ્ઞાનતા અને ભ્રમને સત્ય માની બેસીએ છીએ. આ અજ્ઞાનતા અને ભ્રમ આપણને ક્યારેય સ્થાયી આનંદ આપતા નથી. ભ્રમનો આનંદ ક્ષણિક જ હોય છે. ભ્રમ તુટતા આનંદ પણ ગુમ થઇ જાય છે. પણ જો આપણને સ્થાયી આનંદ જોઈતો હોય તો આપણે અજ્ઞાનતા અને ભ્રમના બંધનો તોડવા જ રહ્યાં. આપણે જ્ઞાનનું સ્તર વધારવું જ રહ્યું. “અજ્ઞાનતા અને ભ્રમના બંધનો તોડતા રહી સ્થાયી આનંદની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એનું નામ જ જીવન.” બીજા શબ્દોમાં કહીએ તો અજ્ઞાનતા અને ભ્રમના બંધનોને તોડતા રહેવું એ જ સ્વસ્થ અને આનંદમય જીવન જીવવાનો આ જ એકમાત્ર સહજ માર્ગ છે.

સ્થગિત થઇ જવું એ આપણો (જીવાત્માનો) સહજ સ્વભાવ નથી

જયારે આપણે જીવનનો વિકાસ સ્થગિત કરી દઈએ છીએ, અથવા તો આપણાં જ્ઞાનનું ક્ષેત્ર માર્યાદિત કરી દઈએ છીએ અથવા તો જ્ઞાન વૃદ્ધિની પ્રક્રિયાને ઉલટી દિશામાં ચલાવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે આપણાં સહજ સ્વભાવની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો “આપણે આપણી જ કબર ખોદીએ છીએ.”

ક્ષણિક આનંદ મેળવવા માટે આપણે આપણી જાતને હતાશા, તણાવ, દુ:ખ અને કલેશના અંધકારમય કુવામાં ધકેલી દઈએ છીએ. સત્ય તો એ છે કે વૃદ્ધિ અને પ્રગતિ કરવાના આપણાં સહજ સ્વભાવને અવરોધવો શક્ય નથી. ભ્રમિત માણસની પ્રગતિ કરવાની તીવ્ર ઈચ્છા તેને ઘણાં અનિચ્છનીય, અહિતકારી કે આત્મઘાતી કામ કરાવે છે. આથી જ આપણે આતંકવાદ, યુદ્ધની પરિસ્થિતિ, વ્યસનને કારણે થતો દુર્વ્યવહાર, અશ્લીલતા, નિરર્થક જીવન, મનોરોગ વગેરે જોઈએ છીએ. આ બધું બીજું કશું નહીં પણ મનુષ્યને વિકાસ અને પ્રગતિ કરવા અને સત્યની વધારે નજીક આવવા માટે સતત પ્રેરિત કરતા પ્રેરકબળને કારણે તેણે મનુષ્યે કરેલા ખોટા પ્રયત્નોનું (કર્મોનું) દેખીતું પરિણામ છે.

એક સાધારણ જીવાત્મા સમસ્યાના મૂળને સમજ્યા વગર, તેનું મોટા ભાગનું જીવન વિકાસ અને વૃદ્ધિ પામવાની સહજ પ્રેરણાને સમજવામાં જ વિતાવી નાખે છે. આવી સાધારણ જીવાત્મા કેટલીક વાર જુદાં – જુદાં પ્રકારના મીથ્યાનંદમાં ડૂબેલી રહે છે. તો કેટલીક વાર તે કામ ઇન્દ્રિયોને વશ થઇ, નિયંત્રણ ગુમાવી, વિષય વસ્તુઓનો ભોગ કરવા લાગે છે. તો કેટલીક તે વાર પ્રતિગામી વિચારો અને માધ્યમો દ્વારા પોતાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો કેટલીક વાર તે જ્ઞાન પ્રાપ્ત કરી પ્રગતિ કરવાનો પ્રયત્ન કરે છે અને પછી થોડા જ સમયમાં અપ્રાકૃતિક આવેગોને વશ થઇ અધોગતિ કરવાનું શરુ કરે છે. આમ કરતા કરતા એક દિવસ તેને તેના નશ્વર શરીરને છોડી જવાનો સમય આવે જાય છે.

જીવનનો અંત એ વિકાસનો અંત નથી

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જયારે આપણો શારીરિક વિકાસ અટકે છે, એટકે કે મૃત્યુ આવે છે, ત્યારે આપણાં વિકાસનો પણ અંત આવે છે. તે જ સમયે આપણી શિક્ષાનો પણ અંત આવે છે. અને પછી આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે આ વિકાસની અવસ્થા અને પ્રક્રિયા હવે પૂરી થઇ ગઈ. પણ જો તમે મનુષ્યના મસ્તિષ્કનો અભ્યાસ કર્યો હશે તો તમને ખ્યાલ આવી જશે કે આપણું મસ્તિષ્ક એ આ સમગ્ર બ્રહ્માંડમાં આપણી જાણમાં હોય તેવી સૌથી જટિલ વ્યવસ્થા છે. આપણને ભાગ્યે જ ખ્યાલ હશે કે આ જટિલ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે. પણ આપણને એ ખબર છે કે મસ્તિષ્કની નવી વસ્તુઓ જાણવાની ક્ષમતા, નવું કૌશલ શીખવાની ક્ષમતા અને જ્ઞાન મેળવવાની ક્ષમતા અસીમિત છે. આપણને એ પણ ખબર છે કે આપણું આ મસ્તિષ્ક સ્નાયુ જેવું છે. આપણે જેટલો વધારે તેનો ઉપયોગ કરીશું એટલું જ વધારે તે તેજસ્વી બનશે. તેનો ઉપયોગ કરવાનું બંધ કરીશું તો આપણી બુદ્ધિ અને વિચારશક્તિ ક્ષીણ થતી જશે. આ સત્ય જ જીવનના લક્ષ્ય કે જીવનની દિશા નક્કી કરવાનો, વિકાસ કરવાનો, વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને સત્યની વધારે નજીક આવવા માટેનો મોટામાં મોટો સંકેત આપે છે.

મારી પ્રગતિ અને મારી શક્તિ અને સામર્થ્યમાં વૃદ્ધિ થાય.

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

1 COMMENT

  1. With havin so much content and articles do you ever run into any issues of plagorism
    or copyright violation? My blog has a lot of unique content I’ve
    either written myself or outsourced but it seems a lot
    of it is popping it up all over the web without my permission.
    Do you know any solutions to help protect against
    content from being stolen? I’d genuinely appreciate it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories