UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

બહુપરિમાણીય જ્ઞાન

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

આપણે એ વાત સમજી લેવી જોઈએ કે જયારે હું જ્ઞાન પ્રાપ્તિથી સત્ય સુધી પહોચવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરું છું ત્યારે તે જ્ઞાનનો અર્થ પુસ્તકો ગોખવા અને તથ્યોને યાદ રાખવા એવો થતો નથી. વેદનું આખું વિજ્ઞાન જ્ઞાનને સમજીને તેને આત્મસાત્ કરવાના જુદાં-જુદાં રસ્તાઓ સૂચવે છે. સરળ ભાષામાં કહીએ તો, સત્ય એટલે “જે વસ્તુ જેવી છે તેને તેવી જ જાણવી.” અને જ્ઞાન એટલે “સત્ય શોધ માટે આગળ વધવાની પ્રક્રિયા.” જ્ઞાન પ્રાપ્તિથી સત્ય શોધવાની આખી પ્રક્રિયા બહુ-પરિમાણીય છે.

મસ્તિષ્ક – એક સંચાલક

જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આપણી પાસે ૫ જ્ઞાન ઇન્દ્રિયો -આંખ, નાક, કાન, જીભ અને ચામડી – છે. આ જ્ઞાન ઈન્દ્રિયોનું નિયંત્રણ મસ્તિષ્ક દ્વારા થાય છે. જ્ઞાનનો ઉપયોગ અને પ્રયોગથી કર્મો કરવા માટે આપણી પાસે આપણું શરીર (હાથ, પગ, વાણી, વગેરે) છે. અને આ શરીરનું નિયંત્રણ પણ મસ્તિષ્ક દ્વારા જ થાય છે. કોઈ હાર્ડ ડિસ્કની જેમ આપણાં મસ્તિષ્કના કોષોમાં માહીતીઓનો સંગ્રહ થયેલો હોય છે અને જરૂર પડે ત્યારે આપણી બુદ્ધિ અનુસાર આપણે આ માહિતીઓનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે આપણી બધી જ જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.

જ્ઞાન, કર્મ અને મનન

વેદોની ભાષામાં જ્ઞાન પ્રાપ્તિ અને તેના પ્રયોગની ક્રિયા ત્રણ સ્તરોમાં – જ્ઞાન, કર્મ અને ચિંતન(મનન) – થાય છે.

  • જ્ઞાનનો અર્થ પાંચ ઇન્દ્રિયો અને મસ્તિષ્ક દ્વારા માહિતી ગ્રહણ કરવી એવો થાય છે. (ઈનપુટ)
  • કર્મનો અર્થ આપણાં શરીર અને મસ્તિષ્કના પ્રયોગથી જ્ઞાનનો જીવનમાં આત્મસાત્ કરવો એવો થાય છે. (આઉટપુટ)
  • ચિંતનનો અર્થ આ ઈનપુટ અને આઉટપુટનું યોગ્ય વિશ્લેષણ કરી તેમાંથી બોધ પાઠ લેવો એવો થાય છે.

જ્ઞાન, કર્મ અને ચિંતન આ ત્રણેય હંમેશા એક સાથે જ કામ કરવા જોઈએ. આ ઉપરંત, જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો તથા શરીરની જાળવણી માટેના પ્રયત્નો પણ સાથે જ થવા જોઈએ. વાસ્તવમાં, ઇન્દ્રિયો તથા શરીરની જાળવણીની પ્રક્રિયા અને પ્રયત્નો સ્વયં જ્ઞાનની વૃદ્ધી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આમ આપણને સારી રીતે સમજાય છે કે આ જ્ઞાન આપણી બધી જ ઇન્દ્રિયોમાં (જ્ઞાન અને કર્મ ઇન્દ્રિયો) વિસ્તરેલું છે. અને આથી જ જ્ઞાન બહુ-પરિમાણીય છે. અને જ્યાં સુધી જ્ઞાનનો આ બહુ-પરિમાણીય અભિગમ વિકસાવવામાં નહીં આવે ત્યાં સુધી જ્ઞાનનો વિસ્તાર અને નિત્ય આનંદની પ્રાપ્તિ માટેના આપણાં પ્રયત્નો અધૂરા જ રહેશે. વધુમાં, આ પ્રયત્નો પ્રમાણિક, વ્યવહારિક અને વાસ્તવિક હોવા જોઈએ. કારણ કે વૈદિક ધર્મમાં અંધશ્રદ્ધાઓ અને મિથ્યધારણાઓને કોઈ સ્થાન નથી.

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories